SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વચ્છ બુદ્ધિતત્ત્વમાં પુરુષની અને પુરુષમાં બુદ્ધિગત ધર્મોની જે છાપ સન્નિધાનની કારણે મનાય છે તે માત્ર આપિત, અવાસ્તવિક અને તેથી કરી વ્યવહાર પૂરતી છે –જેમ આકાશમાં ચિત્રની કઈ વાસ્તવિક છાપ નથી ઊઠતી અને છતાં તેમાં તે ભાસે છે તેમ. (૭) જૈન પરંપરા અનેક ગુણ ત્યા શક્તિ પૈકી જે જ્ઞાન, વીર્ય અને શ્રદ્ધા જેવી શક્તિઓને જીવમાં સહજ અને અનુભવસિદ્ધ માને છે, તેમ સાંખ્ય-ગ પરંપરા ચેતનમાં ન માનતા એ શક્તિઓને સૂક્ષ્મ શરીરરૂપ બુદ્ધિતમાં માને છે. (૮) જૈન પરંપરામાં જેમ જીવમાત્રની સહજ યેગ્યતા સમાન છતાં તેના પુરુષાર્થ અને નિમિત્તના બળાબળ પ્રમાણે વિકાસ મનાય છે, તેમ સાંખ્યગ પરંપરામાં સૂક્ષ્મ યા બુદ્ધિતત્ત્વને લઈને એ બધું ઘટાવવામાં આવે છે. અર્થાત બધાં જ બુદ્ધિત સહજ રીતે સમાન યોગ્યતાવાળાં છે, પણ તેનો વિકાસ તે પુરુષાર્થ અને અન્ય નિમિત્તોના બળાબળ ઉપર અવલંબે છે. જીવ પરત્વે જૈન અને સાંખ્યોગ સાથે ન્યાય-વૈશેષિક દષ્ટિની તુલના ન્યાય-વૈશેષિક પરંપરા સ્વતંત્ર જીવવાદી તે છે, પણ તે જૈન અને સાંખ્ય-ગ પરંપરાસંમત અવસ્વરૂપથી અનેક બાબતમાં ભિન્ન સ્વરૂપ કપે છે, તેથી અત્રે ઉક્ત બે પરંપરાના મન્ત સાથે એની સરખામણી કરવી જેમ આવશ્યક છે તેમ રેચક પણ છે. ન્યાય-વૈશેષિક પરંપરા જૈન અને સાંખ્યોગ પરંપરાની પેઠે દેહભેદે ભિન્ન એવા અનન્ત તેમ જ અનાદિનિધન છવદ્રવ્ય તે સ્વીકારે છે પણ તે જૈન પરંપરાની પેઠે તેને મધ્યમપરિમાણ ન માનતાં સાંખ્યોગ પરંપરાની જેમ સવવ્યાપી માને છે. તે મધ્યમપરિમાણ યા સંકેચ-વિસ્તારશીલતા ન માનતી હોઈ દ્રવ્યદષ્ટિએ જીવતત્ત્વનું કૂટસ્થનિત્યત્વ સાંખ્ય-ગ પરંપરાની જેમ જ સ્વીકારે છે. છતાં તે ગુણગુણિયા ધર્મધર્મિભાવની બાબતમાં સાંખ્ય-ગ પરંપરાથી જુદી પડી અમુક અંશે જૈન પરંપરા સાથે સામ્ય ધરાવે છે. સાંખ્યોગ પરંપરા ચેતનાને નિરંશ અને કેઈ પણ જાતના ગુણ ચા ધર્મના સંબંધ વિનાની માને છે, તે ન્યાયવૈશેષિક પરંપરા જીવતત્વને જૈન પરંપરાની પેઠે અનેક ગુણે યા ધર્મોને આશ્રય ૧. સાંખ્યકારિકા ૬૨. ૨. સાંખ્યકારિકા. ૪૦. ३. व्यवस्थातो नाना । શાસ્ત્રસામગ્ગત ૨ ४. विभवान्महानाकाशस्तथा चात्मा । ५, अनाश्रितत्वनित्यत्वे चान्यत्रावयविद्रव्येभ्यः । – વૈશેવિન. રૂ.૨.૨૦. – વૈશેષિવન. રૂ.૨.૨૧. – વૈશેષિન. ૦૧.૨૨. -प्रशस्तपादभाष्य, द्रव्यसाधर्म्यप्रकरण. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy