SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ એક બાબત ફલિત થાય છે, તે એ કે કઈ જમાનામાં ચૈતન્ય થા જીવને માત્ર ભૂતેનું પરિણામ યા કાર્ય માની તેને આધારે જીવનવ્યવહાર ગોઠવનારાઓનું પ્રાબલ્ય હતું. કદાચ તે કાળના લોકેમાં એ વિચારની છાપ ઊંડી હશે. તેથી જ એ મતને આગળ જતાં લોકાયત તરીકે નિર્દેશી એક રીતે વગેવવામાં આવ્યું છે. - જેમ ચાર યા પાંચ ભૂતેના સંઘાતથી પ્રગટનાર ચૈતન્યને જ માનનાર ભૂતચૈતન્યવાદીને મત નોંધાયેલ છે, તેમ એક તેના જેવો, પણ તેનાથી કાંઈક જુદો દેખાતે, તજજીવત૭રીરવાદ પણ પ્રાચીન કાળમાં પ્રચલિત હતું, એની નોંધ પણ સચવાઈ રહી છે. આની નેંધ શબ્દશઃ ઉપનિષદોમાં નથી, જ્યારે જૈન આગમ અને બૌદ્ધ પિટકમાં તે શબ્દશઃ છે. તે ભૌતિકવાદીઓથી જુદી જ છે. ચાર થી પાંચ ભૂતેનો અર્થ બહુ જાણીતું છે, અને આગળ જતાં દાર્શનિક ગ્રન્થમાં જ્યાં જ્યાં ચાર્વાક મતનું ખંડન આવે છે ત્યાં ત્યાં સર્વત્ર એ માન્યતાનું સમર્થક કઈ પ્રાચીનસૂત્ર પણ સેંધાયેલું મળે છે. હવે પ્રશ્ન એ છે કે ભૂતચેતન્યવાદીથી ભિન્ન નેંધાયેલા તજજીવતછરીરવાદને અર્થ શું ? ભૂતચેતન્યવાદથી જે એ કઈ પણ અર્થમાં જુદે ન હોય તે એટલા પ્રાચીનકાળમાં એ બેય મતો જુદા ધાય કેમ? સામાન્ય રીતે તે તજજીવતરછરીરને અર્થ એ જ થાય છે કે જીવ અને શરીર એ બન્ને અભિન્ન છે. બુદ્ધ પિતાના અવ્યાકૃત પ્રશ્નો ગણાવતા તજજીવતછરીરવાદને પણ એમાં લીધું છે અને કહ્યું છે કે જીવ અને શરીર ભિન્ન છે, એ જેમ એક અંત છે, તેમ એ બન્ને અભિન્ન છે એ પણ એક અંત હોઈ અવ્યાકૃત છે. આ ઉપરથી તે એમ જણાય છે કે જીવ અને શરીરને અભિન્ન માનવાં એટલે ભૂતસમુદાયરૂપ શરીરને જ જીવ માનવે એમ થયું. અને તે તે ભૂતચેતન્યવાદ થયે. १. सूत्रकृतांगना द्वितीय श्रुतस्कंधना पोण्डरिय अध्ययनना नवमा सूत्रमा इति पढमे पुरिसजाए તનીવતરછરીરy f સાહિg-એમ કહ્યું છે અને દશમા સૂત્રને અંતે તો રિસગાઈ વશ્વમસૂફg ત્તિ વાહિg-એમ કહ્યું છે. તથા જુઓ સૂત્રકૃતાંગમાં નિ. ગા. ૩૦ તથા ગણધરવાદમાં ત્રીજા ગણધર વાયુભૂતિની શંકા, પૃ. ૫૦. ૨. મન્નિમનિાયના ચૂરમાણું સૂત્રમાં બુદ્ધના અવ્યાકૃત પ્રશ્નો જુઓ. ३. पृथिव्यापस्तेजोवायुरिति तत्त्वानि । तत्समुदाये शरीरेन्द्रियविषयसंज्ञा। –તવોવઢવલંદ. 9. ૧. तेभ्यश्चैतन्यमिति । तत्र केचिद्वृत्तिकारा व्याचक्षते---उत्पद्यते तेभ्यश्चैतन्यम् । अन्ये अभिव्यज्यत इत्याहुः। –તરસંઘવંનિવા. પૃ. ૨૦૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy