SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ આ રીતે કાળ અને દેશના જુદા જુદા અંશેમાં વહેંચાયેલું જગત માનનાર બૌદ્ધો એકત્વબુદ્ધિ યા પ્રત્યભિજ્ઞાનું સમર્થન કેમ કરતા હશે, એ પણ પ્રશ્ન છે. બૌદ્ધો કહે છે કે જેમ ન્યાય-વૈશેષિક અને જૈન મતે દરેક પરમાણુ દ્રવ્યરૂપે પરસ્પર અત્યન્ત ભિન્ન છે, છતાં તેઓ નવા અવયવી દ્રવ્યની યા સંઘાતની સ્થિરતા માની તેમાં એકત્વબુદ્ધિ કરે છે, તેમ અમે એવું કઈ દીર્ઘકાલીન અવયવી યા સંઘાત દ્રવ્ય નથી માનતા, જે પ્રત્યભિજ્ઞાન વિષય બને પણ જ્યાં લગી દ્રષ્ટાને સાદણ્યનું ભાન થાય છે, ત્યાં લગી તે સંતતિના તેટલા ભાગમાં એકત્વબુદ્ધિ બ્રમથી કરે છે. જેને સર્વથા અન્તઃપ્રજ્ઞા ઉદિત થઈ હોય તેવા તથાગત વગેરે તે પ્રત્યેક ધર્મને પરસ્પર ભિન્ન જ નિહાળે છે. પણ એ પારમાર્થિક ભેદ ચર્મચક્ષુને વિષય નથી, તેથી સાધારણ લોક સાદશ્ય યા બ્રાન્ત અભેદ બુદ્ધિથી બધે વ્યવહાર કરે છે.' જગતના સ્વરૂપ પર છેલ્લે બે મહત્વની વિચારધારાઓને ઉલ્લેખ પણ કરે જોઈએ. પહેલી બૌદ્ધ પરંપરામાંથી ઉદય પામી છે, અને બીજી ઔપનિષદ પરંપરામાંથી. બન્ને વિચારધારાના મૂળમાં તત્ત્વભેદ છે, નિરૂપણભેદ પણ છે; છતાં જુદા જુદા શબ્દોમાં પણ તે બંને લગભગ એક જ સિદ્ધાન્તનું પ્રતિપાદન કરે છે. મહાયાની વિચારધારા દશ્યમાન ભેદમય રૂપાદિ પ્રપંચને અવિદ્યાકલ્પિત યા સંવૃતિસત્ય કહી નિરૂપે છે. આ નિરૂપણમાં વિજ્ઞાનવાદી અને શૂન્યવાદી બનેનો સામાન્ય રીતે સમાસ થઈ જાય છે; જ્યારે કેવલાદ્વૈતવાદી શંકર જગતને માયિક કહી નિરૂપે છે. મહાયાની વિચારધારા જગતને અવિદ્યામૂલક સાંવૃત કહે છે ત્યારે તેને ભાવ એ છે કે આ દશ્યમાન સ્કૂલ, સૂક્ષ્મ તેમ જ ભેદપ્રધાન બાહ્ય વિશ્વ એ કઈ વાસ્તવિક નથી, પણ માત્ર અવિદ્યા યા અજ્ઞાનની વાસનાથી તેવું ભાસે છે. શંકરની દષ્ટિએ પણ દશ્યમાન નામરૂપત્મિક જગત એ કઈ વાસ્તવિક નથી, પણ માયાના પરિણામરૂપે અધિકાનમાં ભાસે છે, એટલું જ. આપણે પહેલાં જોયું છે કે સાંખ્યાચાર્યોએ સુખ-દુઃખ-મહાત્મકતાના સાર્વત્રિક અનુભવને આધારે તેના અંતિમ કારણ લેખે એકમાત્ર ત્રિગુણાત્મક સર્વવ્યાપી પ્રધાનતત્ત્વની સ્થાપના કરી તેમાંથી વૈશ્વરૂણ ઘટાવ્યું; તે જૈન, ન્યાયવૈશેષિક અને સ્થવિરવાદી બૌદ્ધોએ ઈન્દ્રિયગ્રાહી રૂપ, રસ, ગન્ધ, સ્પર્શાદિ ગુણોને વાસ્તવિક માની તેના આધારે તેની કારણપરંપરાને વિચાર કર્યો, અને છેવટે અંતિમ કારણુ લેખે, કેઈએ પરિણામિનિત્ય અનન્તાનન્ત નિરંશ પરમાણુદ્ર માન્યાં, તે કોઈએ ફૂટસ્થનિત્ય એવાં નિરંશ અનંત પરમાણુ માન્યાં, વળી બીજાએ તેવાં કેઈ સ્થિર પરમાણુદ્ર ન માનતાં માત્ર અસ્થિર અને ક્ષણિક ધર્મોને ૧. તત્ત્વસંગ્રહની સ્થિરભાવપરીક્ષા–ક. ૩૫૦-૪૭૫; હેતુબિન્દુ ટીકા, પૃ. ૧૪૧ આદિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy