SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ર રૂપ કહે છે. ન્યાય-વૈશેષિક અને જૈન પરપરાની પેઠે બૌદ્ધ પર પરાએ પણ ઇન્દ્રિયગ્રાહ્ય સ્થૂલ રૂપ, રસ આદિ ભૌતિક કાર્ય ને પ્રધાન રાખી તેના કારણને વિચાર કર્યાં છે. એણે પણ કાય કારણના સિદ્ધાન્તમાં સાદશ્યના સિદ્ધાન્ત સ્વીકાર્યા છે જેવું કાય તેવું જ કારણ. જો ભૌતિક કાયરૂપ, રસ આદિ રૂપે ઇન્દ્રિયગ્રાહ્ય છે તે એનું સૂક્ષ્મ, સૂક્ષ્મતર અને સુક્ષ્મતમ અર્થાત્ અતીન્દ્રિય એવું અંતિમ કારણ પણ એવું જ અર્થાત્ રૂપ, રસ, ગન્ધ અને સ્પર્શાદિ સ્વરૂપ જ હોઈ શકે. આ વિચારસરણી પ્રમાણે તેણે સ્થૂલ-સુમ સમગ્ર જગતને રૂપ પદથી નિર્દેશ્યુ છે. પણ ઔદ્ધસ†મત રૂપ અર્થાત્ ભૂત-ભૌતિક અને ન્યાય-વૈશેષિક તેમ જ જૈનસ ંમત ભૂત-ભૌતિકના સ્વરૂપ વચ્ચે બહુ માઢું અંતર છે. જેમ ન્યાય-વૈશેષિક અને જૈન પરંપરા અણુ-પરમાણુવાદી છે, તેમ ઔદ્ધ પર`પરા પણુ અણુ-પરમાણુવાદી છે. તેમ છતાં એની માન્યતા, જેમ સાંખ્યસંમત એક પ્રકૃતિતત્ત્વવાદથી જુદી પડે છે તેમ, ન્યાય-વૈશેષિક અને જૈનસંમત નિત્ય અનન્ત પરમાણુતત્ત્વવાદથી પણ જુદી પડે છે. ૧ ઔદ્ધ પર પરા ભૂતબહુત્વવાદી છે. પણ તે કોઈ પણ તત્ત્વમાં નિત્યત્વ યા ધ્રુવત્વ સ્વીકારતી નથી. તે કહે છે કે તત્ત્વનું ખંધારણ જ સતત ફેરફાર પામવાનુ... છે. તે કાળ નામના કોઈ તત્ત્વને સ્વતન્ત્ર માની તેની અસરથી વસ્તુમાં ફેરફાર ન માનતાં વસ્તુમાત્રના સ્વભાવથી જ પ્રવર્તમાન એવા ક્ષણિક પરિવનના ક્રમને જ કાળ કહે છે. તેથી તે સાંખ્યુ અને જૈનની પેઠે પ્રત્યેક ક્ષણે થતાં નવનવાં પિરણામે યા પર્યાયાની ધારામાં સદા અનુચૂત એવું કાઈ તત્ત્વ નથી માનતી. પણ તે સતત ગતિશીલ ક્ષણિક પરિવર્તનધારાને સ્વીકારે છે. સાંખ્ય દૃષ્ટિએ અનેક ક્રમિક પરિણામેામાં એક પ્રકૃતિતત્ત્વ સદાવતમાન અને વ્યાપક હોય છે; ભલે તે પરિણામે પ્રમાણે પાતે પણ અવસ્થાન્તર પામતુ. રહે. ન્યાય—વૈશેષિક દૃષ્ટિએ નવાંનવા દ્રવ્ય આદિ કાર્યો ઉત્પન્ન થાય છે ત્યારે તે કાર્યાના આધારે મૂળ પરમાણુઓ, કોઈ પણ જાતના ફેરફાર પામ્યા સિવાય ફૂટનિત્ય રહે છે. જૈન દૃષ્ટિએ નવાં નવાં ભૌતિક કાર્યાના આધાર પણ પરમાણુ જ છે. ભલે તે પરમાણુએ વૈશેષિક મતની પેઠે કાર્યાથી તદ્દન ભિન્ન અને સ્વતન્ત્ર ન હેાય. પણ સાંખ્ય, ન્યાયવૈશેષિક અને જૈન એ બધામાં એક ખાખત સમાન છે અને તે એ કે મૂળ દ્રવ્યનું ધર્મીરૂપે વ્યક્તિત્વ અખંડ રહે છે. સાંખ્યમતે જેમ એક પ્રકૃતિતત્ત્વનું સર્વાધાર યા સવધમી લેખે વ્યક્તિત્વ અખડિત રહે છે, તેમ ન્યાય-વૈશેષિક અને જૈન મતે ૧. વિદ્યુદ્ધિમાન ૨. સાંવ્યારા, ૧૦. ૧૪.૨૩-૮૦, ३. आश्रितत्वं चान्यत्र नित्यद्रव्येभ्यः ।... अनाश्रितत्वनित्यत्वे चान्यत्र अवयविद्रव्येभ्यः । Jain Education International —પ્રરાસ્તવાતમાષ્ય, દ્રવ્યસાધચંદ્રવળ, For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy