SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ અનુભવાય છે અને અનેક વસ્તુઓ એકીસાથે પણ તેવી અનુભવાય છે. જ્યારે ઇન્દ્રિયાનુભવ પ્રવર્તમાન ન હોય ત્યારે પણ બુદ્ધિ સુખ, દુઃખ અને મેહની કાંઈને કાંઈ પ્રતીતિ કરે જ છે. તેથી એમ માનવું જોઈએ કે સ્કૂલ યા સૂક્ષ્મ, બાહ્ય યા આન્તર, રૈય, જ્ઞાનપકરણ યા જ્ઞાતા એ બધું સુખ–દુઃખ-મહાત્મક જ હોવું ઘટે. આ રીતે તેઓ એ ભૂલથી સૂકમ બુદ્ધિ સુધીનું સારૂપ્ય અને એ વચ્ચે કાર્યકારણુભાવ સ્થાપ્યું. પણ તેમને તે એ વ્યક્તિ બુદ્ધિથી આગળ વધી સત્ અને અવ્યક્તરૂપે મનાયેલ મૂળ કારણના સ્વરૂપનો ખુલાસો કરે હતું. તેથી તેમણે એ વ્યકત બુદ્ધિના કારણ લેખે એ જ સર્વસ્વીકૃત સત્ અને અવ્યકત તત્ત્વને માની લીધું. પણ મૂળ પ્રશ્ન તે એ તત્ત્વના સ્વરૂપનિર્ણયને હતું. તેથી તેમણે પોતે સ્વીકારેલ સુખ-દુઃખ-મહાત્મક સામાન્ય તત્ત્વને આધારે તે મૂળ કારણનું સ્વરૂપ નિશ્ચિત કર્યું. તેમણે કહ્યું કે જે વસ્તુમાત્રમાં સુખ-દુઃખ-મહાત્મકતા સાધારણ હેય તો એના મૂળ કારણમાં એ સાધારણ સ્વરૂપના નિયામક અંશે હોવા જ જોઈએ. એ કલ્પના ઉપરથી તેમણે એવા પણ અંશે મૂળ કારણમાં માન્યા કે જેને આધારે સૂક્ષ્મ સ્થૂલ વિવરૂપ્યો ખુલાસો પણ થાય અને પેલું સામાન્ય સ્વરૂપ પણ અબાધિત રહે. તે અંશે એટલે સત્ત્વ, રજસ અને તમસ. એ ગુણ કહેવાય છે, તે એટલા અર્થમાં કે મૂળ તત્ત્વના તે પરસ્પર અવિભાજ્ય ઘટકે છે. આ ત્રણ ગુણનાં કાર્યો પરસ્પરભિન્ન છે. છતાં તે બધા પરસ્પર સહકારથી અંગગીભાવે પ્રવૃત્તિ કર્યા કરે છે. તેથી એ ત્રણ ગુણોનાં અનન્તવિધ તારતમ્યવાળાં પારસ્પરિક મિશ્રણોથી આગળની સમગ્ર સૂમ-સ્કૂલ સૃષ્ટિ વિકસે છે. એમને એ પ્રશ્ન તો થયે જ કે એ અંતિમ કારણનું પણ કારણ કેમ ન હોય? તેને જવાબ બધા દાર્શનિકે આપે છે તેમ તેમણે પણ આપ્યું કે છેવટે તે કયાંક વિરમવું રહ્યું. આ રીતે આ વિચારકની દષ્ટિએ ત્રિગુણાત્મક અવ્યક્ત એવું હતુંકારણ તે મનાયું; પણ અહીં પાછા અનેક પ્રશ્નને ઊભા થયા. જેમ કે દશ્યમાન જગત નિઃસીમ અને વિશ્વરૂપ છે અર્થાત્ નાનાવિધ છે; તેમ જ તે સ્થૂલતમ, સ્થૂલતર, સ્થૂલ, સૂકમ, સૂફમતર અને સૂક્ષ્મતમ એવી અનેક કટિઓમાં વિભકત છે. જેમ કાળપટમાં એ ગતિશીલ છે તેમ સ્થિતિશીલ પણ ભાસે છે. તો આ બધાનો ખુલાસે માત્ર એક જ મૂળ કારણમાંથી કેવી રીતે થઈ શકે? આના જે ઉત્તર અપાયા છે તે ટૂંકમાં આ છે: મૂળ કારણ સર્વવ્યાપી છે. એ કાળની પૂર્વાપરાન્ત કેટિથી પર છે. એમાં ગતિ અને સ્થિતિનું પણ સૂકમ બીજ છે અને તે એક ક્ષણમાત્ર પણ નવનવાં રૂપાન્તરેમાં પરિણત થયા સિવાય રહેતું જ નથી. અને છતાં તે પિતાનું મૂળ સ્વરૂપ કાયમ સાચવી રાખે છે. એનામાં કુલવાની અર્થાત્ સૂક્ષ્મતમ અવસ્થામાંથી સૂમ અવસ્થામાં અને એ કેમ ભૂલતમ ભૌતિક અવસ્થા સુધી પરિણમવાની શક્તિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy