SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ ન પણ બન્નેમાં એટલું સામ્ય તા છે જ કે તેઓ ઇન્દ્રિયગમ્ય ન હોય એવા અવ્યક્ત યા પરમાણુતત્ત્વના નિશ્ચય સુધી પહેાંચ્યા છે. અનુમાનપ્રમાણની વિશેષ શક્તિની માન્યતા એથી પણ આગળ વધી છે. અનેક દાનિકને પ્રશ્ન થયા કે જગતમાં શું સ્થૂલ કે સૂક્ષ્મ એવું એક ભૌતિક તત્ત્વ જ છે, કે એથી પર બીજી પણ કાંઈ છે ?—આ પ્રશ્નના જવાબ તેમને અનુમાનપ્રમાણથી મળ્યો હોય તેમ લાગે છે. તેઓ સુખદુઃખ આદિના અનુભવના અને અન્ય જીવનગત વિશેષતાઓને ખુલાસા ભૌતિક તત્ત્વથી કરી ન શક્યા, ત્યારે તેમણે અભૌતિક એવું ચેતનતત્ત્વ સ્વીકાર્યું' હોય એમ લાગે છે. આ રીતે અનુમાનપ્રમાણની શક્તિના વિસ્તારમાંથી ભૌતિક અને ચેતન એવાં એ તત્ત્વા તે સ્થપાયાં, પણ આની સાથે જ એક નવા પ્રશ્ન ઉપસ્થિત થયા. આ પ્રશ્ન એ હતા કે અનુમાનથી સૂક્ષ્મ ભૌતિક તત્ત્વ કે ચેતનતત્ત્વ સાધી શકાય તાપણુ, શું એવા કેાઈ માર્ગ નથી કે જે દ્વારા એવાં સૂક્ષ્મ અતીન્દ્રિય તત્ત્વાનું પ્રત્યક્ષ થઈ શકે ? આના ઉત્તર સરલ ન હતા. છતાં પણ કેટલાક વિરલ પુરુષો એ પાછળ પડ્યા. તેમને એમાંથી યાગમા લાધ્યા. તેમણે અનુભવ્યું કે જ્યારે મન મુખ્યપણે ઇન્દ્રિયલક્ષી-બહિર્ગામી હોય છે ત્યારે તેની અમુક જ શક્તિ ખીલે છે. પણ જ્યારે તે અન્તર્મુખ થઇ વિશેષ એકાગ્ર થાય છે ત્યારે તેની શક્તિના બીજો પ્રકાર ઊઘડે છે. તેમણે અનુભવથી એ પણ જોયું કે જ્યારે મનમાં પડેલા વાસનાઓના સ્તરે દૂર થાય છે ત્યારે તેની શક્તિ એર વધારે ખીલે છે. આવા પ્રત્યેાગવીરાએ ચેાગાનુભવમાંથી એક નવીન પ્રમાણની શેાધ કરી. એ પ્રમાણ એટલે નહિ ઇન્દ્રિયપ્રત્યક્ષ કે નહિ વ્યાસિમૂલક અનુમાન; એ પ્રમાણ સૂક્ષ્મ ને અતીન્દ્રિય એવા વિષયાના સાક્ષાત્કાર કરી શકે છે, એવા એમને અનુભવ થયેા. તેથી તેમણે કહ્યું કે પ્રમાણ એટલે માત્ર ઇન્દ્રિયપ્રત્યક્ષ કે માત્ર અનુમાન નહિ, પણ તેથીયે પર એવું એક અતીન્દ્રિય પ્રત્યક્ષ, યા એક આજ્ઞાન યા ઋતંભરા પ્રજ્ઞા. આ જ આગમપ્રમાણનું મૂળ. આ રીતે પ્રત્યક્ષ, અનુમાન અને આગમ એ ત્રણ પ્રમાણેા મૌલિક છે, જેમાં આગમ એ એના મૂળ અર્થમાં સશ્રેષ્ઠ કહેવાય; કેમ કે તેમાં પ્રત્યક્ષ અને અનુમાનના બધા જ વિષયે સમાઈ જાય છે. દાર્શનિક પ્રસ્થાનભેદ મૂળે તે આ ત્રણ પ્રમાણને જ આભારી છે. પણ પ્રમાણની ખાખતમાંય દાર્શનિક વતુલમાં સંક્ષેપ-વિસ્તાર થતા રહ્યો છે. કોઈ એ ૧. યોગસૂત્ર ૧. ૪૮-૪૯. ૨. પ્રત્યક્ષમાત્રવાદી ચાર્વાક, અનુમાન સાથે એપ્રમાણવાદી બૌદ્ધ આર્દિ, આગમ સહુ ત્ર:પ્રમાણુવાદી સાંખ્યાદિ, ઉપમાન સહ ચારપ્રમાણવાદી તૈયાયિક આદિ, અભાવ સહુ પાંચ પ્રભાકર, અર્થાપત્તિ સહ છ કુમારિલ, યુક્તિ સહ સાત ચરકને મતે, ઐતિહ્ય સહ આફ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy