SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ २२ કાર્ય-કારણભાવના સિદ્ધાન્તદ્વારા સામાન્ય-વિશેષ ઉભયાકાર પ્રતીતિનું ઉપપાદન કરવા પ્રવૃત્ત થયેલા દાર્શનિકે, પોતપાતાની દૃષ્ટિ પ્રમાણે, છેવટે જે અને જેવા મૂળ કારણના સ્વરૂપ વિષે નિશ્ચય કરી શકયા, તે અને તેવા કારણને સૂક્ષ્મ અને સ્થૂલ એવા કાયરૂપ વિશ્વપ્રપંચ સાથે સંબંધ ઘટાવવાના પ્રયત્નમાંથી અંતે આર્ભવાદ, પરિણામવાદ, પ્રતીત્યસમુત્પાદવાદ અને વિવવાદ સુધી તેએ પહેાંચ્યા. આરમ્ભ આદિ ચાર વાઢાનાં લક્ષણા આ વાદાનાં લક્ષણા સંક્ષેપમાં નીચે પ્રમાણે છે : આરમ્ભવાદ :(૧) પરસ્પર ભિન્ન એવાં અનન્ત મૂળ કારણાને સ્વીકાર; ( ૨ ) કાર્યાં અને કારણના આયન્તિક ભેદ; (૩) કારણ નિત્ય હાય કે અનિત્ય, પણ કાર્યાત્પત્તિમાં એનું અપરિણામિરૂપે રહેવું; (૪) અપૂર્વ અર્થાત્ ઉત્પત્તિ પહેલાં અસત્ એવા કાર્યની ઉત્પત્તિ યા અલ્પકાલીન સત્તા. પરિણામવાદ :( ૧) એક જ મૂળ કારણને સ્વીકાર; (૨) કા– કારણના વાસ્તવિક અભેદ; ( ૩ ) નિત્ય કારણનું પણ પરિણામી બનીને જ રહેવું : તથા પ્રવૃત્ત થવું; ( ૪ ) કાર્ય માત્રનું પોતપાતાના કારણમાં અને બધાં કાર્યાનું મૂળ કારણમાં વૈકાલિક અસ્તિત્વ અર્થાત્ અપૂર્વ વસ્તુની ઉત્પત્તિના સથા ઇન્કાર. પ્રતીત્યસમ્રુત્યાદવાદઃ—(૧) કારણ અને કાર્યને આત્યન્તિક ભેદ; (૨) કોઈ પણ નિત્ય યા પિરણામી કારણના સવથા અસ્વીકાર; (૩) પહેલેથી જ અસત્ એવા કાર્ય માત્રના ઉત્પાદ શ્રી. પુલિબિહારીએ · Origin and Development of the Sāmkhya System of Thought'માં પૃ. ૧૯૬થી એ વિશે ઠીક ઠીક ચર્ચા કરી છે અને યેગભાષ્યકારના વિચારો પણ સ્પષ્ટ કર્યા છે. પરંતુ એમણે પૃ. ૨૦૦ની પાદટીપમાં શ્રી. ગાપીનાથ કવિરાજના લેખને આધારે જે ચર્ચા કરી છે તે કાર્ય-કારણભાવના અભ્યાસી માટે ખાસ અગત્યની છે. કવિરાજજીએ ‘ The Problem of Causality' લેખમાં (સરસ્વતી ભવન સ્ટડીઝ વેા. ૪, પૃ. ૧૨૫, ૧૯૨૫) કાર્ય-કારણુભાવની વિગતે ચર્ચા કરી છે અને સત્કાર્યવાદ સામે ઉપસ્થિત થતા પ્રશ્નો વિશે પણ ઉહાપાહ કર્યા છે. જો કાય કારણમાં લીન થતું હોય અને નાશ ન પામતું હોય તો કારણ ફરીથી કાર્ય પેદા કરે ત્યારે શું એનું એ જ કાર્ય ફરી દશ્યમાન થાય છે કે તેના જેવું ખીજું ?–આ પ્રશ્નનો ઉત્તર ચિંતાએ બે રીતે આપ્યા છેઃ ભતૃ હિર અને ચેગભાષ્યકાર એમ માને છે કે પ્રકૃતિ પુનઃ સ` ઉત્પન્ન કરે ત્યારે નવા સ` પ્રથમ જેવા થાય છે, નહિ કે એને એ. અને પોંચાધિકરણ તેમજ પયપાદિકા-વિવરણને મત એવો છે કે પુનઃ સ થાય છે તે એને એ જ છે, આ વિશે કવિરાજજીએ વિશેષ ઊહાપેાહ કરેલા હાવાથી તે મૂળ લેખ ખાસ દ્રવ્ય છે. બૌદ્ધસ`મત કાર્ય-કારણુભાવ સ્પષ્ટ કરવા સ્પેરબાવ્સ્કીએ જે લંબાણુ ચર્ચા કરી છે તે દ્રષ્ટવ્યુ છે—Buddhist Logic ભાગ ૧, પૃ. ૧૧૯થી આગળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy