SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યાન ૨ કાર્યકારણભાવતત્વજ્ઞાનને પાયે, અને પ્રમાણુશક્તિની મર્યાદા તત્ત્વચિન્તનને પાયે છે કાર્ય-કારણુભાવની વિચારણું. જ્યાં કાર્ય-કારણભાવની વિચારણા જન્મ ન લે ત્યાં કદી તત્ત્વમીમાંસાને ઉદય જ સંભવિત નથી. કાર્ય-કારણભાવની વિચારણા એ દેશ તેમજ કાળની મર્યાદામાં જ પ્રવતીં શકે. જેમ જેમ દેશ વિષેનું અવલોકન વધતું, વિસ્તરતું અને સ્પષ્ટ થતું જાય તેમજ કાળવિષયક અનુભવને સંસ્કાર વધારે ને વધારે સમૃદ્ધ તેમજ પુષ્ટ થતું જાય, તેમ તેમ કાર્યકારણુભાવની વિચારણું વધારે ને વધારે વિસ્તરતી જવાની. તેમાં ઊંડાણ અને ચેકસાઈ પણ વધારે ને વધારે આવવાનાં. કાર્ય-કારણુભાવની વિચારણાના વિકાસ, વિસ્તાર, અને સંશોધનની સાથે જ તત્ત્વચિન્તનનું વર્તલ પણ વિસ્તરવાનું, વિકસવાનું અને વિશેષ સંશોધિત થવાનું. આવા વિસ્તાર, વિકાસ અને સંશોધનને લીધે જ તત્ત્વચિન્તનમાં નવા નવા ચિત્ય વિષયે ઉમેરાય છે; એના સ્વરૂપચિન્તનમાં પણ પરિવર્તન થતું રહે છે. જ્યારે દેશ-કાળની મર્યાદાથી પર એવી ભૂમિ વિષે તત્વચિન્તકે વિચાર કરે શરૂ કરે છે, ત્યારે ત્યાં તેમને કાર્ય-કારણભાવની કલ્પના મદદ કરી શકતી નથી, અને છતાંય એવી ભૂમિ એ તત્ત્વચિન્તનને એક વિષય મનાય છે, જેને તત્વચિન્તકે અગમ્ય, અનિર્વાચ્ય યા અવ્યાકૃત શબ્દથી સૂચવે છે. કાર્યકારણભાવને ભૂમિકાભેદ કાય કેને કહેવાય? કારણ એ શું? કારણ કેવા કેવા પ્રકારનાં હેઈ શકે? –ઈત્યાદિ કાર્ય-કારણભાવને લગતું ચોક્કસ લક્ષણશાસ્ત્ર છે કે આગળ જતાં રચાય છે. પણ એ લક્ષણે અને એના વિભાગો પૂરા પાડે એવી વિગતે તે વેદ, બ્રાહ્મણ, ઉપનિષદુ અને આગમ-પિટક આદિ ગ્રન્થમાં બહુ સ્પષ્ટપણે અને ઘણી વાર १. कारणाभावात् कार्याभावः । न तु कार्याभावात् कारणाभावः । वैशेषिकदर्शन १.२.१-२ પ્રતીત્યસમુત્પાદ વિશે અનુલોમ-પ્રતિમને વિચાર મહાવણ-મન્નકૂવાનમુત્ત–માં છે. વિશુદ્ધિમાન પૃ. ૩૬૩; ૧૦.૧. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005235
Book TitleBharatiya Tattvavidya
Original Sutra AuthorN/A
AuthorSukhlal Sanghavi
PublisherPrachyavidya Mandir Vadodara
Publication Year1971
Total Pages116
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy