SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૯૨ ] વસુદેવ હિંડી : : પ્રથમ ખંડ : રતિમાં આસક્ત થયેલા કામદેવની જેમ, પરિજન સહિત સેામશ્રીને આનંદ કરાવતાં કેટલીક ઋતુએ ગાળી. t એક વાર સંભાગના પરિશ્રમથી થાકીને ઊંઘેલેા હું ભેાજનના પરિણામથી (પચી જવાથી) જાગ્યા. તે વખતે શયનમાં સેામશ્રીને નહીં જોતાં ખિન્ન માનસવાળા બની હું વિચાર કરવા લાગ્યા, “ મને જગાડયા વગર પ્રિયા કયાં ગઇ હશે ? અથવા કઇં કારણસર ગઈ હશે. ” આમ વિચારી મેં વાસગૃહની રક્ષા કરનારી દાસીએને જગાડી કહ્યું, “ દેવી કયાં ગઇ છે તેની તપાસ કરે. ” તેએ કહેવા લાગી, “ સ્વામી ! અમે નથી જાણતાં. અમને તા હમણાં જ તમે જગાડ્યાં. ” ભવનમાં શેાધ કરતાં ત્યાં પણ તે જોવામાં ન આવી. એટલે મેં વિચાર્યું, “ મારા ઉપર તે કુપિત થઇ હશે, જેથી મને દન આપતી નથી. ” એ પ્રમાણે અનેક રીતે ચિન્તા કરતાં રાત્રિ જેમ તેમ વીતી ગઇ. દેવી સહિત રાજાને આ વાત કહેવામાં આવી. પછી રાજમહેલમાં તથા પ્રમવનમાં સત્ર શેાધ કરવા છતાં કયાંય પણ સામશ્રી જોવામાં આવી નહીં. એટલે રાજાએ કહ્યું, “ કાઇ આકાશગામીએ તેનું હરણ કર્યું હશે, જેથી કાઇ સ્થળે એની ભાળ મળતી નથી, ” મારા મનમાં એમ નિશ્ચય થયા કે, “ ખરેખર, પ્રિયા આટલા દીર્ઘ કાપવાળી ન થાય. જે એક ક્ષણ વાર મને નહીં જોતાં ઉત્સુક થઈ જતી હતી તે અહીં હાય છતાં મને દર્શન ન આપે એ મને જ શી રીતે ? નક્કી, તેના રૂપમાં લુબ્ધ થયેલા અને તેના શીલસારને નહીં જાણતા કેાઇ મદમતિએ તેનુ હરણ કર્યું હશે. ” આ પ્રમાણે મારી બુદ્ધિએ નિ ય કર્યાં, તા પણ ‘- એક જ ખાખતમાં જેનું મન પરાવાયેલું હશે એવી તે ઉપહાસ કરવા માટે મને ઉત્તર નહીં આપતી હાય ’ એમ કલ્પના કરીને હું પ્રમદવનમાં અને સખીગૃહમાં તેની શેાધ કરવા લાગ્યા. પછી તે સે।મશ્રીને નહીં જોતા અને આંસુથી જેની દ્રષ્ટિ રુંધાઇ ગઇ છે એવા હુ' અગાઉ જ્યાં અમે ક્રીડા કરતાં હતાં તે લતાગૃહ, જાલગૃહ અને કદલીગૃહ જોવા લાગ્યા તથા ખેલવા લાગ્યા, “ પ્રિયે! તું શા માટે કુપિત થઇ છે ? હું તારી ઇચ્છાને અધીન છું. મને દુઃખ ન આપ. શા માટે તુ સંતાઈ ગઈ છે ? ” આ પ્રમાણે ખેલતા હું તે પ્રદેશમાં ફરવા માંડ્યો. મને આવી અવસ્થામાં રહેલા જાણીને મારી આગળ પ્રિય વચન મેાલતી, આંસુ સારતી અને અનેક પ્રકારનાં બહાનાંએથી મારું મન રોકીને મને આનંદ પમાડવા ઇચ્છતી દાસીએ મારાથી એક ક્ષણ પણ દૂર જતી નહેાતી. સામશ્રીમાં લીન થયેલું. મારું ચિત્ત પરમ આદર ઉત્પન્ન કરનારી વસ્તુઓમાં અથવા ગીત, વાદિત અને પતિમાં શકાતું નહેતુ તેમજ ભાજન લેવાની પણ મને ઇચ્છા થતી નહેાતી. હું આહાર લેતા નહાતા, એટલે પિરજના અને રાજા પણ જમતાં નહેાતાં. ભવનને શન્ય જેવું માનતા હું રાત્રે નિદ્રા પણ પામતા નહેાતા; મૂઢતાપૂર્ણાંક આવું ચિન્તન કરતાં, તે પ્રિયા મારી સામે નહીં હોવા છતાં સહસા તેને મારી સામે જ જોતા હતા. આ પ્રમાણે સારતાં મારા એ દિવસ વીતી ગયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy