SearchBrowseAboutContactDonate
Page Preview
Page 208
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થામા-વિજયા લંભક [ ૧૫૩ ] ચિંટી રહેલી છે એવી તે સ્ત્રીઓ ઊલટી તે બાળકોને પકડીને “વાછડું છૂટી ગયું છે” એમ કહીને દોરડાથી બાંધે છે. આ પ્રમાણે, હે દેવ! લેકો ઘરનાં કામકાજ મૂકીને ઉન્મત્ત તથા દેવ અને અતિથિની પૂજામાં મંદ આદરવાળા થયા છે, માટે એટલી કૃપા કરો, કે કુમાર વારંવાર ઉદ્યાનમાં ન જાય.” રાજાએ કહ્યું, “તમે ચિન્તામુક્ત થઈને જાઓ, હું તેને અટકાવીશ.” પછી પરિજનેને પણ રાજાએ કહ્યું છે કે, “કેઈએ કુમારને આ વાત કહેવી નહીં.” માટે ઉદ્ધતાઈ છોડી દે, જેથી રાજાના ઠપકાને પાત્ર ન થાઓ.” મેં કહ્યું, “એમ કરીશ.” પછી વિચાર કર્યો, “ ભૂલથી બહાર નીકળ્યો હોત તો પણ મને પકડી લેવામાં આવત. અથવા આ પણ બંધન જ છે, માટે હવે અહીં રહેવું મારે માટે સારું નથી.” આમ વિચાર કરીને સ્વર અને વણે બદલી નાખનારી ગોળીઓ ખાઈને સંધ્યા કાળે વલભ નામે સેવકની સાથે નગર બહાર નીકળે. સ્મશાનની પાસે કેઈ અનાથ માણસનું મુડદું પડેલું જોઈને મેં વલભને કહ્યું, “લાકડાં ભેગાં કર, હું શરીરનો ત્યાગ કરીશ.” તેણે લાકડાં ભેગાં કર્યા અને ચીતા રચી. પછી મેં વલભને કહ્યું, “ જલદી જા, મારા શયનમાંથી રત્નકરંડક લાવ, એટલે દાન આપીને પછી અગ્નિપ્રવેશ કરું.” તેણે કહ્યું, “દેવ! જે તમારો આ જ નિશ્ચય છે તો તમારી સાથે હું પણ અનિપ્રવેશ કરીશ.” મેં કહ્યું, “ તારી ઈચછા હોય તેમ કરજે, પણ આ છાની વાત કઈને કહીશ નહીં, જલદી પાછો આવ.” “જેવી આપની આજ્ઞા.” એમ કહીને વલભ ગયે. એટલે મેં પેલા અનાથ મૃતકને ચીતા ઉપર મૂકી ચીતા સળગાવી. સ્મશાનમાં મૂકાયેલ અળતો લઈને મોટાભાઈ અને દેવીને ક્ષમાપનાલેખ (માણીનો પત્ર) લખ્યા કે, “શુદ્ધ સ્વભાવનો હોવા છતાં વસુદેવને નાગરિકોએ કલાક આપ્યું હોવાથી આ પત્ર લખીને તે અગ્નિમાં પ્રવેશે છે.” પછી એ પત્ર મસાણના સ્તંભ ઉપર બાંધીને હું જલદીથી ત્યાંથી ચાલ્યા ગયે, અને આડે રસ્તે દૂર સુધી જઈને પછી ધોરી માર્ગ ઉપર ચઢ્યો. માર્ગમાં એક તરુણી રથમાં બેસીને સાસરેથી પિયર જતી હતી. તે મને જોઈને પિતાની સાથેની વૃદ્ધાને કહેવા લાગી, “આ અત્યંત સુકુમાર બ્રાહ્મણપુત્ર થાકી ગયા છે, માટે આપણે રથમાં ભલે બેસે. આપણા ઘેર આજ વિશ્રામ લઈને પછી તે સુખપૂર્વક જશે.” વૃદ્ધાએ મને કહ્યું, “ભાઈ ! રથ ઉપર બેસે; તમે થાકી ગયા છો.” “રથમાં બેસીને હું ગુપ્ત રીતે પ્રવાસ કરી શકીશ” એમ વિચારીને હું પણ રથમાં બેઠો. સૂર્યાસ્તની વેળાએ અમે (તે તરુણના પીયરમાં) સુગ્રામ નામે ગામમાં પહોંચ્યા. ત્યાં સ્નાન તથા ભોજન કરીને હું બેઠો. તે ઘરથી થોડે દૂર યક્ષનું મન્દિર હતું, ત્યાં લકે એકત્ર થયેલા હતા. નગરમાંથી માણસો આવ્યા હતા તેઓ એ લોકોને કહેતા હતા, “ આજે નગરમાં ૨૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy