SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦. “લાકે તેના ઉપર્યુક્ત મુખ્ય નિર્ણ સાથે . વિન્ટરનિટ્સ સંમત થાય છે (History of Indian Literature, vol. III), પણ અત્યાર સુધી જાણવામાં આવેલાં રૂપાન્તરે ઉપરથી મૂળ ગ્રન્થની પુનર્ધટના કરવાના પ્રયત્નને તેઓ વ્યર્થ ગણે છે. તેમના મત પ્રમાણે લોકો તેને પ્રયત્ન સંદિગ્ધ છે અને અપર્યાપ્ત સામગ્રીની સહાયથી તે કરવામાં આવેલ છે. અલબત, વિન્ટરનિટ્સના કથયિતવ્યમાં એટલું યથાર્થ છે કે વધુ સામગ્રી મળે નહીં ત્યાં સુધી લાકે તેના નિર્ણયમાં વધુ સુધારા સૂચવવાનું શક્ય નથી. ખરું જોતાં ૧૯૦૮માં લોકો તેને ગ્રન્થ પ્રસિદ્ધ થયો ત્યાર પછી “બૃહત્કથા 'ના કેયડાના વિષયમાં ઉપયોગી થાય એવું કશું બહાર લાવવામાં આવ્યું નથી. પણ જેને પાસે પ્રાચીન, વિસ્તૃત અને અન્ય બે રૂપાન્તરો–કાશ્મીરી અને નેપાલીથી સ્વતંત્ર એવું “બૃહત્કથા 'નું રૂપાન્તર છે એ વસ્તુ સંપૂર્ણપણે ધ્યાન બહાર રહી છે, એ આશ્ચર્યજનક છે. નરવાહનદત્તનાં પરાક્રમો જેનોએ કૃષ્ણના પિતા વસુદેવ ઉપર આરોપ્યાં છે. “વસુદેવ-હિંડી” (વસુદેવનું પરિભ્રમણ) એ જૈન પુરાણકથાને અને પૌરાણિક વિશ્વ-ઈતિહાસને (કથાનુયોગને) એક મહત્વને અંશ છે. વર્ષો પહેલાં પ્રસિદ્ધ થયેલા હેમચન્દ્રના “ ત્રિષષ્ટિ શલાકાપુરૂષચરિત્ર ”માં, શ્રી નેમિનાથના ચરિત્રમાં વસુદેવનું ચરિત્ર પણ આવે છે ત્યાં જૈન “બૃહત્કથા”ની રૂપરેખા જોવામાં આવે છે. તેમાં તથા શ્રીકૃષ્ણની પુરાણકથાને લગતા જેન ગ્રન્થમાં એને સંક્ષિપ્ત સારોદ્ધાર આપવામાં આવેલ છે, પણ ડાંક વર્ષ ઉપર હિન્દમાં પ્રસિદ્ધ થયેલ એક ગ્રન્થ, સંધદાસગણિકૃત “વસુદેવ-હિંડી , તેના વિસ્તાર અને વિગતોને કારણે જેને “બૃહત્કથા” પર અનશુદ્ધ અભિપ્રાય આપવાનું આપણે માટે શક્ય બનાવે છે. “ આવશ્યકચૂર્ણિ'માં ત્રણ વાર મળતા “વસુદેવ-હિંડી અને ઉલ્લેખ ઈસવી ૬૦૦ની આસપાસ તેની રચનાની ઉત્તર મર્યાદા સ્થાપિત કરી દે છે. ગ્રન્થની અત્યંત પ્રાચીન ભાષા તે કરતાં યે જૂને રચનાકાળ સૂચવે છે. ગમે તેમ, પણ આ નવપ્રાપ્ત પ્રાકૃત ગ્રન્થમાં અત્યાર સુધી જાણવામાં આવેલું “બ્રહકથા'નું પ્રાચીનતમ રૂપાન્તર મળે છે. આ ગ્રન્થમાં પણ “બૃહત્કથા નું વસ્તુ શ્રીકૃષ્ણની પુરાણકથાની આસપાસ ગૂંથાયેલું મળે છે, કે જે કથા ઈસવી સન પૂર્વે ૩૦૦ની આસપાસમાં જેને અપનાવી હોવાનું ઑ. યાકોબીએ નકકી કર્યું છે. ડે. યાકોબી માને છે કે ઈસવી સનના પ્રારંભ સુધીમાં જૈન પુરાણકથા સંપૂર્ણ બની ચૂકી હતી. જ્યારે જૈનાએ “બૃહકથા 'ને પિતાની પુરાણકથાના કલેવરમાં દાખલ કરી ત્યારે તે એક સુપ્રસિદ્ધ કવિની કૃતિ હોવા ઉપરાંત વધારે તે દેવકથાની ભવ્યતાથી પ્રકાશમાન એવા એક પ્રાચીનતર યુગની રચના હતી, જેની મહત્તા પુરાણ અને મહાકાવ્યની કથાઓ જેટલી જ હતી. આને અર્થ એ થયો કે “બ્રહકથા નું જૈન રૂપાન્તર મૂળ “બૃહત્કથા 'ને રચના-કાળ વળી કેટલીક સદીઓ જેટલું પ્રાચીનતર માનવાની આપણને ફરજ પાડે છે. ડૅ. બુહરની જેમ ગુણાત્યને ઈસવી સનની પહેલી કે બીજી શતાબ્દીમાં અથવા લાકાતેની જેમ ત્રીજી શતાબ્દીમાં મૂકવાને બદલે-વધારે પ્રાચીન સમયમાં નહીં–તે ઈસવી સનની પૂર્વે પહેલી અથવા બીજી શતાબ્દીમાં આપણે જવું જોઈએ. લાકાતેના મત મુજબ, નષ્ટ થયેલ “બૃહત્કથા ની આજના નીચે પ્રમાણે હતીઃ પ્રાસ્તાવિક ભાગમાં ઉદયન અને તેની રાણીઓ વાસવદત્તા અને પદ્માવતીની જાણીતી કથાઓ હતી. વાસવદત્તાને પુત્ર નરવાહનદત્ત યુવાન રાજકુમારની અવસ્થામાં હતું ત્યારે ગણિકાપુત્રી મદનમંજુકા સાથે પ્રેમમાં પડે છે અને પોતાના પિતાની ઈચ્છા વિરુદ્ધ તેને પરણે છે. એક વિદ્યાધર રાજા મદનમંજુકાનું હરણ કરી ગયો હતો; મદનમંજુકાની શેધ કરતાં નરવાહનદત્ત વિદ્યાધરલેક અને માનવકમાં નવાં નવાં પરાક્રમે કરતે ગયો, અને દીર્ઘ પ્રયત્ન પછી મદનમંજુકાને પાછી મેળવ્યા બાદ તે વિદ્યાધરચક્રવર્તી તરીકે સ્થાપિત થયે અને મદનમંજુકા તેની પટરાણુ થઈ આ પૂર્વેનાં તેના કાર્યોમાં પરાક્રમોની હારમાળા આવે છે, જે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005228
Book TitleVasudev Hindi Part 01
Original Sutra AuthorN/A
AuthorSanghdas Gani, Bhogilal J Sandesara
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy