SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજયચંદ વિશજી; ૨૦૦૦ બીજો પ્રસ્તાવ. શ્રી શાંતિનાથ પ્રભુને ચોથ તથા પાંચમે ભવ. ફૂછoooooooooહૂં હવે અહીં જ વૈતાઢય પર્વત ઉપર ઉત્તર શ્રેણિના ભૂષણરૂપ રથનૂપુરચક્રવાલ 89છળooooooooooo-~ નામનું શ્રેષ્ઠ નગર છે. તેમાં જવલનજી નામનો બળવાન વિદ્યાધર રાજા હતો. જેમાં અગ્નિને સ્વાહા નામની પ્રિયા છે તેમ તેને વાયુવેગા નામની પ્રિયા હતી. તેની કૂક્ષિથી જન્મેલે, શત્રુના સમૂહરૂપી ગાઢ અંધકારને નાશ કરવામાં સૂર્ય જેવો અને સૂર્યના સ્વપ્નથી સુચિત થયેલ તેને અર્કકીતિ નામનો પુત્ર હતે. પછી તે અનુક્રમે સર્વ કળાને શીખ્યો, વિનયાદિક ગુણએ કરીને સહિત થયે અને યુવાવસ્થાને પામ્યા. ત્યારે પિતાએ તેને યુવરાજને સ્થાને સ્થાપન કર્યો. તેની નાની બહેન ચંદ્રલેખાને સ્વપ્નવડે સૂચિત થયેલી સ્વયંપ્રભા નામની પુત્રી હતી, પરંતુ સ્વાતંત્ર્ય રહિત હતી. ત્યાં કેઈક દિવસ આકાશમાં ચાલનારા અને પાપનો નાશ કરનારા અભિનંદન અને જગન્નદન નામના બે શ્રેષ્ઠ મુનિ આવ્યા. તે સ્વયંપ્રભા કન્યા તેમની પાસે ધર્મ સાંભળીને શુદ્ધ સામાચારીવાળી અને શુભ આશય(ચિત્ત)વાળી થઈ. પછી તે સાધુઓએ ત્યાંથી વિહાર કર્યો અને તે સ્વયંપ્રભાએ કઈક પર્વદિવસ પ્રાપ્ત થયો ત્યારે પૌષધ વ્રત ગ્રહણ કર્યું. તેના પારણાને દિવસે ઘરમાં રહેલા જિનબિંબની પૂજા કરીને તેણીએ પિતાની પાસે જઈને તે પૂજાની શેષા આપી. ત્યારે રાજાએ તે શેષાને મસ્તક ઉપર ધારણ કરીને તથા પુત્રીને ઉત્સંગમાં ધારણ કરીને તેનું રૂપ અને વય જોઈને ચિત્તમાં આ પ્રમાણે વિચાર કર્યો કે-“આ મારી કન્યા વરને આપવા લાયક થઈ છે. તેથી આને અનુરૂપ (ગ્ય) ક વિદ્યાધર આને ભર્તા થશે?” એમ વિચારીને “હે પુત્રી ! હવે તું પારણું કર.” એમ કહીને તેણીને રજા આપી તથા મંત્રીઓને બોલાવીને પિતાનો વિચાર તેઓને જણાવ્યું. ત્યારે તેઓની મધ્યેનો સુશ્રત નામને મંત્રી બે કે- “હે દેવ! શ્રેષ્ઠ રત્નપુર નામના નગરને વિષે મયગ્રીવ નામનો વિદ્યાધર રાજા છે, તેને અશ્વગ્રીવ નામે પુત્ર છે. તે અર્ધ ભરતક્ષેત્રને સ્વામી આ પુત્રીને યોગ્ય વર છે.” ત્યારે બહુશ્રુત નામને મંત્રી બેઃ આ મને યોગ્ય જણાતું નથી, કેમકે તે વૃદ્ધ (મોટી વયવાળો) છે, તેથી રૂપવાન તથા વય, શીલ અને કુળવડે સમાન બીજે કંઈ વર આ પુત્રીને કરવો યોગ્ય છે.” ત્યારપછી અવકાશ (સમય) પામીને સુમતિ ૧. “રૂપના અતિશય વડે શેભતી ” એ પણ પાઠ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy