SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ [૨] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. (સ્વપ્ન)નું ફળ જાણીને પ્રસન્ન વાણવાળા તેણે પણ આ પ્રમાણે કહ્યું કે “હે દેવી! આ સ્વપ્નથી પૃથ્વી ઉપર પ્રસિદ્ધ અને કુળને ઉદ્યોત કરનારા એકી સાથે તમને બે પુત્રો થશે.” ત્યારપછી બે ગર્ભને ધારણ કરતી તે રાણી ઉપકાર કરનાર અને કૃતજ્ઞ પુરુષને ધારણ કરતી પૃથ્વીની જેમ અધિક શોભવા લાગી. ત્યારપછી સંપૂર્ણ સમય થયો ત્યારે જેમ પૃથ્વી ઉપર વિધિ પ્રમાણે પ્રયોગ કરેલી સાચી નીતિ અર્થને અને ધર્મને ઉત્પન્ન કરે, તેમ તે રાણુને બે પુત્ર ઉત્પન્ન થયા. પછી હર્ષ પામેલા તેના પિતાએ મોટા ઉત્સવપૂર્વક તે બન્નેના ઈદુષણ અને બિંદુષેણ એવા શુભ (સાર) નામ કર્યા (પાડયા). આઠ વર્ષના પ્રમાણ(વય)વાળા તે બને કલાચાર્યની પાસે કળાના અભ્યાસ કરવા લાગ્યા અને અનુક્રમે યુવાવસ્થાને પામ્યા. હવે આ તરફ આ જ ભરતક્ષેત્રને વિષે મગધ નામના દેશમાં લક્ષ્મીવડે મનહર અચળગ્રામ નામે શ્રેષ્ઠ ગામ છે. તેમાં વેદ અને વેદાંગના તત્વને જાણનાર ધરણિજટ નામને ઉત્તમ બ્રાહ્મણ હતું, અને તેને યશોભદ્રા નામની પ્રિયા હતી. તે બ્રાહ્મણ યશોભદ્રાથી ઉત્પન્ન થયેલા નંદિભૂતિ અને શ્રીભૂતિ નામના પિતાના પુત્રોને હંમેશાં યત્નપૂર્વક વેદશાસ્ત્ર ભણાવતા હતા. તે બ્રાહ્મણને કપિલા નામની દાસીથી ઉત્પન્ન થયેલ કપિલ નામને પણ પોતાનો પુત્ર હતા. તે (કપિલ) જાતિથી હીન હેવા છતાં પણ બુદ્ધિવડે અધિક (અતિ બુદ્ધિમાન) હતા. પિતાના પિતાવડે ભણાવાતા તે બનેને સાંભળતો તે કપિલ ચૌદ વિદ્યાસ્થાનને જાણવામાં નિપુણ થયે. ત્યારપછી ઘરથી નીકળીને બે ચોપવિત (જનોઈ)ને ધારણ કરતા અને પિતાના આત્માને મહાબ્રાહ્મણ માનતે તે કપિલ પૃથ્વી ઉપર ફરવા લાગ્યું. અનુક્રમે તે રત્નપુર નગરમાં આવ્યો. ત્યાં સત્યકિ નામ ઉપાધ્યાય ઘણા વિદ્યાથીઓને વેદનો અભ્યાસ કરાવતો હતો, ત્યાં તે કપિલે વિદ્યાર્થીઓને વેદ અને ઉપનિષદ તેવી રીતે પૂછયા, કે જે રીતે તે છાત્રે તેને ઉત્તર આપવા સમર્થ ન થયા. તેને મહાવિદ્વાન જાણને ઉપાધ્યાયે તેને પોતાને સ્થાને સ્થાપન કર્યો. કે પુરુષ ગુણવડે કરીને મેટી પદવીને ન પામે? તે ઉપાધ્યાયને જંબુકા નામની ભાર્યા હતી, તથા તેની કુક્ષિથી ઉત્પન્ન થયેલી સત્યભામા નામની પુત્રી હતી. આ કપિલ યોગ્ય છે, એમ જાણીને ઉપાધ્યાયે તેને તે પુત્રી આપી. તેની સાથે સુખેથી રમતે તે કપિલ ત્યાં રહ્યો. “આ કપિલ ઉપાધ્યાયને માન્ય છે, એમ જાણીને લેકે તેને પૂજવા લાગ્યા, અને વિદ્વાનની કથાઓમાં સર્વ ઠેકાણે નિદર્શન (દષ્ટાંતરૂપ) થયા. હવે કઈ વખતે જગતને જીવાડનાર ધાન્યના સમૂહની અને તૃણ(ઘાસ)ની વૃદ્ધિ કરવાથી દુકાળનું રક્ષણ (નાશ) કરનાર વર્ષાઋતુ પ્રાપ્ત થયે. તેવા સમયમાં કોઈ વખત કૌતુકવાળ કપિલ રાત્રિએ પ્રેક્ષણક (નાટક) જેવાને માટે દેવમંદિર વિગેરે ઠેકાણે ગયો. પછી મોટી (અધી) રાત્રિને વિષે નિરંતર (ગાઢ) અંધકાર થયે અને વરસાદ વરસવા લાગ્યો. તે વખતે તે કપિલ ઘર તરફ જતાં વિચારવા લાગ્યું કે –“પ્રથમ તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy