SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ત્યારે મંત્રી અને સામંતાએ તેને સર્વ અંગને વિષે ચક્ર, સ્વસ્તિક અને મત્સ્ય વિગેરે શુભ લક્ષવડે લાંછિત છે. તથા નિવૃત્તિ નહીં પામતી જંબવૃક્ષની છાયા જોઈને તેઓ આ પ્રમાણે બાલ્યા કે-“આપણા પુણ્યવડે જ આ આપણે સ્વામી થા.” તે વખતે નિદ્રા રહિત થયેલા શૂરપાલે “આ શું છે?” એમ વિચાર્યું. તેને તે સચિવાર્દિકે પ્રાર્થના કરીને આસન ઉપર બેસાડ્યો. પછી સ્નાન કરાવ્યું, અંગને વિલેપન કર્યું, તથા વસ્ત્ર અને ભૂષણવડે શોભિત કર્યું. પછી સચિવાદિકે તેને ઉત્તમ હાથી ઉપર ચડા. પછી ધારણ કરેલા છત્રવાળા અને ચામરોવડે વીંઝાતા તે રાજાને તેઓએ મોટા વૈભવથી નગરમાં પ્રવેશ કરાવ્યું. નગરની સ્ત્રીઓના ચિત્તવડે પ્રાર્થના કરી અને મંગળ કરાતે તે રાજમહેલમાં પ્રવેશ કરીને સભામાં બેઠે. દરેક દિવસે દરેક સામંતવડે અભિષેક કરાયેલે તે શૂરપાળ તે નગરમાં મોટો રાજા થયે. એક દિવસ તેણે વિચાર્યું કે-“તે મારી ભાર્યાનું મનવાંછિત પૂર્ણ ન થાય, તે આ રાજલક્ષમીનું શું ફળ?” પછી કોઈક દિવસે પિતાના હાથથી લખેલા લેખને આપીને તે રાજાએ પોતાના પુરુષને પિતાના ઘરના માણસોને લાવવા મોકલ્યા. તેઓ કાંચનપુરમાં ગયા. ત્યાં તેની શોધ કરવામાં તત્પર થયા છતાં પણ કુટુંબ સહિત તે મહીપાળને તેઓએ દેખે નહીં. કોઈ મનુષ્ય તેઓને કહ્યું કે “અહીં દુકાળ થયો હતો, તેથી તે મહીપાળને ખેતીમાં કાંઈપણ થયું (પાકર્યું). નહીં, તેથી બીજા વ્યવસાયને નહીં જાણતે તે કુટુંબ સહિત બીજે કઈ ઠેકાણે ગયે છે. પરંતુ તેની શુદ્ધિ (ખબર) જણાતી નથી.” તે સાંભળીને તે પુરુષોએ પાછા વળીને તથા ત્યાં આવીને રાજાને તે વાત કહી. તે સાંભળીને તે ખેદ પામ્યા. પિતાના મનુષ્યનું વિધુરપણું (ખ) સાંભળવાથી તે રાજા રાજ્યને લાભ પામ્યા છતાં પણ કદાપિ સુખને પામતો નહોતે. હવે અહીં જે વર્ષે તે પિતાના ઘરથી નીકળ્યો હતો, તેની પછીના બીજે વર્ષે ત્યાં મેઘની વૃષ્ટિ થઈ નહીં. તેથી ઘણું લેકોને ક્ષય કરનાર દુકાળ થયો કે જેમાં ધનવાન પણ સીદાય છે, અને ગરીબ( નિધન ) વિશેષ સીદાય છે. જે દુકાળમાં ચેરના સમૂહવડે માર્ગ દુખે કરીને ચાલી શકાય તેવા થાય છે. અને સુધા પામેલ મનુષ્ય બીજા મનુષ્યને ખાઈ જાય છે. લેકે પિતાના રેતા છોકરાંઓને પણ તજે છે, અથવા તેમને નિંદ્ય અને નીચ કુળને વિષે વેચે છે, જે દુકાળમાં તપોધને(તાપસે) શિક્ષાને પણ કઈથી પામે છે, તે શિક્ષાને પણ રંકના સમૂહ તેની પાસેથી ઝડપીને ખાઈ જાય છે, તથા જેને વિષે મોટે સનેહ હોય છે, તે ભાયોને પણ તજી દે છે. તે આવા દુર્મિક્ષ કાળની વાર્તા પણ ભયકારક હોય છે. તેવા સમયે કુટુંબ સહિત તે મહીપાળ પિતાના નગરમાંથી નીકળીને અનેક કામ કરતે, ઠેકાણે ઠેકાણે ભમતે, ન્યશાળામાં વસતે, સનેહ રહિત જનને પામતો, ભૂખ્યા કુટુંબના દુર્વચનથી દુઃખી થતો તથા નગર, ગામ, પર્વત, અરણ્ય અને નદીને ઉલંઘન કરતે આવી કષ્ટ દશાને પામીને મહાશાલ નગરમાં પ્રાપ્ત થયા (આવ્યો). શીલમતી પણ તે વેણુ ને ફાટેલા કંચુકને સસરાએ “આને મૂકી દે.” એમ કહ્યા છતાં પણ મૂકતી ન હતી. તેના વચનને નહીં કરવાથી સર્વ કુટુંબને ઉદ્વેગ કરનારી તેણીની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy