SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ ષષ્ટ પ્રસ્તાવઃ શ્રી શાંતિનાથ ચકીનું છ ખંડનું સાધવું. ૧૩૫ ] નાથ ચાલ્યા. હજાર યક્ષવડે અધિષિત થયેલું તે ચક્ર અનુક્રમે પૂર્વ દિશામાં માગધતીર્થની પાસેના વેળાકુળમાં ગયું. ત્યાં સૈન્યનો પડાવ કરીને સારા આસન ઉપર તેની સમુખ ચકી બેઠા. તેના પ્રભાવથી જળને છેડે નીચે ભાગે બાર એજન દૂર રહેલા માગધ નામના કુમારનું (દેવનું ) આસન ચલાયમાન થયું. તેણે અવધિ જ્ઞાનવડે છ ખંડ ભરતક્ષેત્રને સાધવામાં ઉદ્યમી થયેલા ચક્રવતી શાંતિનાથ જિનેવરને આવેલા જાયા, અને આ પ્રમાણે વિચાર કર્યો કે- “બીજે ચક્રી પણ મારે આરાધવા યોગ્ય છે, આ તે જિને“વર ચક્રી વિશેષ કરીને આરાધવા યોગ્ય છે, કેમકે આની ભક્તિને ઈ પણું કરે છે.” પછી સારા વસ્ત્રો અને અમૂલ્ય આભરણે લઈને તથા આવીને તેને આપ્યા, તથા તે પ્રભુને આ પ્રમાણે કહ્યું, કે-“હે સ્વામી! હું તમારી આજ્ઞાને કરનાર પૂર્વ દિકપાલ છું, તેથી પિતાના કિંકર જેવા મને નિરંતર કાર્યને આદેશ કરો.” ભગવાને પણ સન્માન કરીને તે દેવને રજા આપી. પછી તે સુદર્શન ચક્ર દક્ષિણ દિશા તરફ ચાલ્યું. ત્યાં વરદામ તીર્થની પાસે જઈને રહ્યા અને તેના અધિષ્ઠાયક દેવને તે જ પ્રમાણે શાંતિનાથ પ્રભુએ સા. પછી પશ્ચિમ દિશામાં જઈને પ્રભાસ તીર્થના અધિષ્ઠાયક દેવને સાધીને ઉત્તર દિશામાં સિંધુ નદીને કિનારે ગયા. ત્યાં પણ પૂર્વની વિધિ પ્રમાણે સિંધુ દેવીને સાધી. તે દેવીએ પ્રભુને રત્નમય જ્ઞાનપીઠ આપ્યું. તથા સુવર્ણના, રૂપાના અને માટીના કુંભ અને બીજી જ્ઞાનની સામગ્રી તથા સારા વસ્ત્રો અને આભરણે આપ્યાં. અને તે બેલી કે “હે સ્વામી! હું તમારી આજ્ઞા કરનારી છું.” આ પ્રમાણે કહીને પ્રભુએ વિદાય કરેલી તે પણ પિતાને સ્થાને ગઈ. પછી સેનાપતિ ચર્મરત્નવડે સિંધુ નદીને ઉતરીને વિભુની પાસે સાધીને તે પશ્ચિમ ખંડમાં આવ્યું. પછી પૂજા કરેલું ચક્રરત્ન વૈતાઢ્ય પર્વતને તળીએ ગયું અને તાત્યાદ્રિ કુમાર પ્રભુને વશવત થયે. પછી ખંડપ્રપાતા ગુફાનું દ્વાર પોતે જ ઉઘાડયું અને ત્યાંના કૃતમાલ દેવે જગત્મભુની આજ્ઞા અંગીકાર કરી. તેમાં ઉન્મગ્ના અને નિર્ભગ્ના નામની બે નદીઓ અતિ દુસ્તર છે. ત્યાં તરત જ વર્ધીકિ રતને મનહર પદ્યા(પાળ) બનાવી. પછી પ્રભુએ સૈન્ય સહિત તે ગુફામાં પ્રવેશ કર્યો, અને તેના અંધકારને હરવા માટે કાકિની નવડે મંડળે ક્યોં. તે ગુફા પચાસ એજનની છે, તેમાં ઓગણપચાસ મંડળ થયા. પછી સૈન્ય સહિત પ્રભુ તેની બહાર નીકળ્યા. ત્યાં આપાત, ચિલાત નામના શ્લોને ભરત ચક્રીની જેમ મહાપુણ્યના પ્રભાવવાળા તેણે વશ કર્યો. પછી સેનાપતિ પાસે બીજુ સિંધુનું નિષ્ફટ સધાવીને તેણે હિમવાન પર્વતના અધિષ્ઠાયક દેવને સાથે, ત્યાં વૃષભકૂટ નામના પર્વત ઉપર પિતાનું નામ લખ્યું અને સેનાપતિએ ગંગા નદીનું ઉત્તર નિકુટ સાધ્યું. તમિસા ગુફામાં નાટ્યમાળ દેવને સાધીને પ્રભુ બહાર નીકળ્યા. અને ગંગાને સાધીને તેના કાંઠે રહેલા તેને બાર જન લાંબા અને નવ જન વિસ્તારવાળા મંજૂષા(પેટા)નાં આકારવાળા નવ નિધાને પ્રગટ થયાં. નૈસર્ષ, - પાંડક, પિંગલ, સર્વત્નક, મહાપમ, કાલ, મહાકાલ, માણવ અને શંખક આ નવ નિધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy