SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ | [ ૧૦૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પુત્ર થયા ત્યારે વૃદ્ધાવસ્થામાં પુણ્યસાર દીક્ષા અંગીકાર કરીને તથા છેવટ ભરીને સુગતિને ભજનાર થયે. આ પ્રમાણે પુયસારની કથા સંપૂર્ણ થઈ. આ પુણ્યસારની સુંદર કથા સાંભળીને નિર્મળ આશયવાળા કનકશક્તિએ રાજલક્ષમીને ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરી. તેની તે બે પ્રિયાએ વિમલમતી નામની સાધ્વી પાસે દીક્ષા ગ્રહણ કરીને સારા તપ અને સંયમમાં ઉદ્યમવાળી થઈ. પછી તે કનકશક્તિ મુનિ પર્વત અને નગરમાં વિહાર કરતા સિદ્ધિપર્વત નામના પર્વત ઉપર જઈને ત્યાં એક રાત્રિની પ્રતિમાને રહ્યા. ત્યાં તેના પૂર્વના વૈરી હિમચૂલ નામના દેવે તેને ઉપસર્ગ કર્યો. તેને વિદ્યાધરોએ નિવારણ કર્યા. પ્રભાતે તે પ્રતિમાને પારીને તે મુનિ રત્નસંચયા નગરીમાં આવ્યા. ત્યાં સુરનિપાત નામના ઉદ્યાનમાં પ્રતિમા ધારણ કરી. ત્યાં શુકલધ્યાનને ધરનારા તેને ચાર ઘાતિ કર્મને ક્ષય થવાથી વિશ્વને પ્રકાશ કરનારૂં કેવળજ્ઞાન ઉત્પન્ન થયું. ત્યારે દેવો, વિદ્યાધર, અસુરો, વાયુધ ચકી અને બીજા મનુષ્યએ તે કેવળજ્ઞાનનો મહિમા કર્યો. પછી એક દિવસ તે નગરીમાં ક્ષેમકર જિનેશ્વર આવીને પૂર્વોત્તર( ઇશાન ) દિશાને વિષે સમવસર્યા. તે વખતે નિગી પુરુષોએ આવીને ચક્રવતીને તે વધામણી આપી, ત્યારે પરિવાર સહિત તે ચકી તરત જ તેને વાંદવા ગયે. ત્રણ પ્રદક્ષિણાપૂર્વક પરમેશ્વરને નમીને ધર્મદેશના સાંભળવાની ઈચ્છાવાળે તે ગ્ય સ્થાને બેઠે. આ અવસરે સહસ્ત્રાયુધ નામના તેના પુત્રે તે જિનેંદ્રને નમસ્કાર કરીને તથા બે હાથ જોડીને આ પ્રમાણે પૂછ્યું, કે-“હે ભગવાન ! પવનવેગ વિગેરેના પૂર્વ અને પછીના ભવે મારા પિતાએ શી રીતે જાણ્યા ? આ મને ખોટું કૌતુક થયું છે.” ત્યારે ભગવાને કહ્યું કે-“હે સહસાયુધ ! આ વાયુધે અવધિજ્ઞાનરૂપી નેત્રવડે તેમના ભવનું સ્વરૂપ જાણ્યું છે.” ફરીથી તેણે પૂછયું કે-“આ જ્ઞાન કેટલા પ્રકારનું છે ?” જિનેશ્વર બેલ્યા કે “તે જ્ઞાન આગમમાં પાંચ પ્રકારનું પ્રસિદ્ધ છે. તેમાં મતિ, શ્રત અને અવધિ નામના ત્રણ જ્ઞાન છે, એથું મનપર્યવ અને પાંચમું કેવલ નામનું જ્ઞાન છે. બુદ્ધિ, સ્મૃતિ અને પ્રજ્ઞા એ મતિના પર્યાયવાચક છે, તથા બુદ્ધિમાન પુરુષોએ તેમના જૂદા ભેદ કહ્યા છે. તેમાં પ્રથમ ભવિષ્ય કાળના વિષયવાળી મતિ કહી છે, વર્તમાન કાળના વિષયવાળી બુદ્ધિ હોય છે, અને ભૂતકાળના વિષયવાળી સ્મૃતિ હોય છે. ત્રણે કાળના વિષયવાળી પ્રજ્ઞા જાણવી. સત્યાવરણ કર્મને ક્ષય થવાથી પ્રાણીએને તે પ્રજ્ઞા ચાર પ્રકારની હોય છે. ત્પત્તિકી, જૈનયિકી, કાર્ષિકી અને પરિણામિકી એ ચાર પ્રકારની બુદ્ધિ હોય છે, પણ પાંચમી જણાતી નથી. પૂર્વે નહીં જોયેલી અને નહીં સાંભળેલી વસ્તુને વિષે ક્ષણવારમાં(તરત) જે જે બુદ્ધિ ઉત્પન્ન થાય તેને ડાહ્યા પુરુષોએ ઔત્પત્તિકી કહી છે. તે ઔત્પત્તિકી બુદ્ધિને વિષે ભારતવર્ષમાં શિલા વિગેરે વસ્તુને જાણવામાં રેહક નામનું દ્રષ્ટાંત જોયું છે, તેની આ પ્રમાણે કથા તમે સાંભળે– Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy