SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ ચેથે પ્રસ્તાવ : સાહસ કાર્ય નહિં કરવા ઉપર આમ્રની દ્રષ્ટાંત. [ ૮૭ ] અનુક્રમે તે આમ્રવૃક્ષ પુષ્પવાળો અને ફળવાળો થયે ત્યારે “યત્નથી તેનું રક્ષણ કરવું” એમ રાજાએ માણસને કહ્યું. આ પ્રમાણે કરતાં તેઓ એક વખત રાત્રિએ સૂતા હતા ત્યારે દેવના વશથી તેનું એક ફળ પૃથ્વી ઉપર પડયું. પછી પ્રભાત સમયે હર્ષ પામેલા તેઓએ તે ફળ રાજાને આપ્યું. ત્યારે “આ ફળ કઈ પાત્રને આપવું” એમ તેણે વિચાર્યું. પછી ચાર વેદને જાણનારા દેવશર્મા નામના બ્રાહ્મણને બોલાવીને ભક્તિપૂર્વક રાજાએ તે અમૃત જેવું આમ્રફળ તેને આપ્યું. તેણે પણ પોતાને ઘેર આવીને તથા દેવતાને પૂજીને તે ફળ ખાધું અને મરણ પામે. તે જાણુંને કેઈએ રાજાને કહ્યું કે-“હે પ્રભુ! આજે તે દેવશર્મા બ્રાહ્મણ તે અમૃત આમ્રફળ ખાવાથી મરણ પામે.” ત્યારે ખેદ સહિત રાજા બોલ્યો કે-“અહે! મેં અકાર્ય કર્યું, કે જેથી ધર્મની બ્રાંતિવડે બ્રાહ્મણહત્યાનું પાપ મેં ઉપાર્જન કર્યું. ખરેખર કઈક શત્રુએ મારા પ્રાણને વિનાશને માટે તે પ્રપંચ કરીને આ વિષને આમ્ર મોકલ્યો છે. તેથી આ વૃક્ષ પિતે વાવ્યા છતાં પણ અને પ્રયત્નથી પાલન કર્યા છતાં પણ ઘણું પ્રાણુઓના ક્ષયને કરનાર છે માટે આ વિષ વૃક્ષને છેદી નાંખે.” એમ રાજાએ આદેશ કરેલા મનુષ્યોએ તીક્ષણ કુહાડાવડે તે શ્રેષ્ઠ વૃક્ષને મૂળમાંથી જ કાપીને પૃથ્વીતળ ઉપર પાડી નાંખે. તે વિષ આ વૃક્ષના છેદનને સાંભળીને જીવિતથી ખેદ પામેલા અને કુકના રોગથી પીડા પામેલા માણસે દેડ્યા. સુખવડે મૃત્યુ પામવાની ઈચ્છાથી કે માણસે પાકેલું, કેઈએ નહીં પાકેલું અને કેઈએ અર્ધ પાકેલું તે ફળ ખાધું. તે આમ્રફળ ખાવાથી તે સર્વે માણસો પણ દેવની જેવા ક્ષણવારમાં રોગની વ્યથા રહિત થયા. તેઓને જોઈને વિસ્મય પામેલા રાજાએ વિચાર્યું કે-“અહો ! આ વૃક્ષનું ફળ અસટશ (અલૌકિક) ફળવાળું કેમ છે ? જે આ લેકે રોગ રહિત થઈને કામદેવ જેવા થયા, તે પછી પૂજાજિક કાર્યમાં આસક્ત તે બ્રાહ્મણ કેમ મરી ગયે? ” પછી તેના આરક્ષકને બોલાવિને રાજાએ પૂછયું કે–“ તે આમ્રમાં ઉત્પન્ન થયેલું ફળ શું તમે તેડ્યું હતું ? કે પૃથ્વી પર પડેલું તમે ગ્રહણ કર્યું હતું ?” તેઓએ સત્ય કહ્યું ત્યારે રાજા બે કે“તે ફળ બહારથી સર્પના વિષવડે લેપાયેલું હશે. તેથી કરીને આ ઉત્તમ બ્રાહ્મણ મરણ પાપે. અહ! મને ધિક્કાર છે, કે આ અકાર્ય વિચાર્યા વિના મેં કર્યું કે જેથી ક્રોધવડે આ અમૃતમય વૃક્ષરાજ મેં છેદાવ્યો.”હે રાજા ! જેમ તેણે પરીક્ષા કર્યા વિના સાહસકાર્ય કર્યું, તેવી રીતે સુખને ઈચ્છનારા બીજાએ ન કરવું.” રાત્રિને બીજે પાર વ્યતીત થયે ત્યારે વત્સરાજ વાસમંદિરમાંથી નીકળે. અને તેને નાનો ભાઈ તેમાં પેઠો. રાજાએ વિચાર્યું કે-“અહો ! મનહર કથા કહીને મારું કાર્ય કર્યા વિના જ વત્સરાજ પોતાને ઘેર ગયે.” પછી દુર્લભરાજને પણ રાજાએ તે જ પ્રમાણે કહ્યું, ત્યારે ઉત્પન્ન થયેલી બુદ્ધિવાળા તેણે પણ જઈને તથા પાછા આવીને રાજાને કહ્યું, કે- “હે નરનાથ ! હજુ સુધી તે મારા બન્ને મોટા ભાઈઓ જાગે છે, તેથી ક્ષણવાર રાહ જોઈને તમારું કાર્ય હું સાધીશ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy