SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - - - - - - - - - - [૨] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. આ પૃથ્વી ઉપર ઘણા લકેવડે યુક્ત, ઈતિ અને ભયાદિકથી રહિત તથા સેંકડો રાજાથી યુક્ત પાટલીપુત્ર નામનું નગર છે. તેમાં શત્રુને વિનાશ કરનાર, પૃથ્વીમંડળમાં પ્રસિદ્ધ, ધાર્મિક, વિનયવાળે અને નીતિવાળો પૃથ્વીરાજ નામે રાજા હતા. વિનયાદિક ગુણના આધારભૂત, સારા વિચારવાળી, મનહર અને રતિના જેવા આકારવાળી સુતારા નામની તેની પ્રિયા હતી. તે નગરમાં ઉદાર, નિર્મળ આચારવાળે, સારા વિચારવાળે અને દયામાં તત્પર રત્નસાર નામના મેટે શ્રેણી હતા. તેને નિર્દોષ ક્રિયામાં આસક્ત, દેવગુરુને વિષે અતિ ભક્તિવાળી અને લજજાવાળી રજકા નામની શ્રેષ્ઠ પ્રિયા હતી. તેને શુભ કર્મવડે પવિત્ર, કલાઓના સમૂહ સહિત અને વ્યસનાદિક રહિત ધનદત્ત નામનો પુત્ર હતો. એક દિવસ કરેલા શૃંગારવાળો તથા મિત્ર અને બાંધવ સહિત તે ધનદત્ત કેઈ પણ કાર્યવડે ઘેરથી નીકળીને જવા લાગ્યો. તેને જોઈને કોઈ મનુષ્ય આ પ્રમાણે બે કે-“આ શ્રેષ્ઠી પુત્ર જાય છે, કે જે કાયર પુરુષના જેવી ક્રિયાવાળો પિતાએ મેળવેલી લક્ષ્મીને ભેગવે છે. જે પુરુષ દ્રવ્ય ઉપાર્જન કરવામાં રક્ત હોય, અને જે દાન તઝા ભેગને વિષે તત્પર થઈને લેકને વિષે વિકાસ પામતે હોય, તે આ જગતમાં પ્રશંસાને યોગ્ય છે.” તે સાંભળી તે શ્રેષ્ઠીપુત્રે મનમાં વિચાર કર્યો કે-“ ઈષ્યમાં તત્પર એવા પણ આણે મને હિતકારક વચન કહ્યું. તેથી દેશાંતરમાં જઈને તથા ઘણું ધન ઉપાર્જન કરીને જે આણે કહ્યું, તે સર્વ સાધીશ.” પછી તેણે મિત્રોની પાસે પિતાને તર્ક નિવેદન કર્યો. ત્યારે પ્રિય વચન બોલનારા તેઓએ તેના અભિપ્રાયની પ્રશંસા કરી. પછી તે પિતાના પગમાં લાગીને બે કે-“તમારી આજ્ઞાથી ધન ઉપાર્જન કરવા માટે મારે પરદેશમાં જવું છે.ત્યારે જાણે વજીથી હણાયે હેય તેમ દુઃખી થયેલા તે શ્રેણીએ તેને કહ્યું કે “હે વત્સ! દાન અને ભેગમાં સમર્થ ઘણું ધન તારી પાસે છે. તેનાવડે જ સર્વ કાર્યો તારે અવશ્ય સાધવા, પરંતુ પ્રાણને સંદેહ કરનારા પરદેશમાં જવું નથી.” ફરીથી પુત્ર બે કે-“હે પિતા! તમે ઉપાર્જન કરેલી લક્ષ્મી મારે માતા સમાન છે, તેથી બાલ્યાવસ્થા વિના મારે ભેગવવી યોગ્ય નથી.” આ પ્રમાણે તેને અતિ આગ્રહમાં તત્પર જાણુને પિતાએ તેને રજા આપી. ત્યારે તેણે પ્રયાણની સર્વ સામગ્રી તૈયાર કરી. પછી મિત્રો સહિત અને ભાતા સહિત કરીયાણું લઈને સાર્થ વડે યુક્ત તેણે શુભ દિવસે પ્રયાણ કર્યું. તરત જ તેની પાછળ કેટલાક માર્ગ સુધી ગમન કરી પાછા વળતા એછીએ તેને આ પ્રમાણે શિક્ષા આપી કે-“પરદેશમાં ગયેલા તારે દાની, કૃપણ, નિર્દય, દયાળુ અને અતિ શુરવીર થવું. હે વત્સ! મારી આજ્ઞાથી તું સર્વ પ્રકારે અલબ્ધ મધ્ય થજે.” આ પ્રમાણે શિક્ષા આપીને શ્રેષ્ઠી પાછો વળ્યો, અને તે પુત્ર આગળ ચાલ્યા. તે વખતે સાર્થને વિષે “અરે ! આવ, આવ, અહીં ઊભું રહે, ઊભે થા, ૧. જેનો મણ એટલે હૃદયને ભાવ બીજા ન જાણી શકે તે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy