SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ મોકલે છે. ત્યાંના રાજાને તેમના પુત્ર ત્રિપૃષ્ટને અમારા રાજા પોતાની સ્વયંપ્રભા નામની પુત્રીને આપવા ઈચ્છે છે, તે કબૂલ થવાથી દૂત પિતાના રાજાને જણાવે છે. હવે અહિં અશ્વગ્રીવ રાજા અશ્વપબિન્દુ નામના નિમિત્તીયાને પિતાનું મરણ તેનાથી થશે તેમ પૂછતાં તેણે કહ્યું કે, તમારા ચંડવેગ નામના દૂતને જે તિરસ્કાર કરશે, શાલિક્ષેત્રના અપકાર કરનાર સિંહને જે હશે તે તમને હશે. (ચરમ તીર્થકર મહાવીર પ્રભુના અઢારમાં ભવમાં જે ત્રિપૃષ્ઠ વાસુદેવ થયેલ છે તે જ આ છે અને તે ચરિત્ર પણ આ સભા તરફથી છપાયેલ છે. તેમાં પા. ૬૬ મેં વિસ્તારપૂર્વક વર્ણન છે તે વાંચવાની ભલામણ કરીએ છીએ.) અહિં ત્રિપૃષ્ઠ વાસુદેવને જવલનપ્રભ વિદ્યાધર સ્વયંપ્રભા આપે છે. છેવટે અશ્વગ્રીવ પ્રતિવાસુદેવને ત્રિપૃષ્ઠ વાસુદેવ સુદર્શન ચક્ર મૂકી હણે છે. કુદરતને અચળ નિયમ છે કે પૂર્વભવના કર્મ વૈરભાવ એ બંધાયેલું હોય છે કે પ્રતિવાસુદેવને વાસુદેવ હણે છે. અહિં તિર્માળા અકીર્તિને આપવામાં આવે છે. હવે શ્રીષેણ રાજાને જીવ સૌધર્મ દેવલોકથી આવીને તિમલાની કક્ષીમાં પુત્રપણે જન્મે છે, જેનું અમિતતેજ નામ પાડે છે. (શ્રી શાંતિનાથ પ્રભુને ચે ભવ) (પા. ૨૧) અકીતિ અભિનંદન મુનિ પાસે દીક્ષા લે છે. સત્યભામાને છવ દેવલોકથી ચવીને તિર્માલાના ઉદરમાં અકઝીત્તિની પુત્રીપણે જન્મે છે. તેનું સુતારા નામ આપે છે. અભિનંદિતાનો જીવ સ્વર્ગથી થવી સ્વયંપ્રભા રાણીના (વાસુદેવને ત્યાં) પુત્રપણે જન્મે છે, તેનું શ્રીવિજય નામ પાડવામાં આવે છે. વાસુદેવને બીજો પુત્ર વિજયભદ્ર મુખ્ય રાણીથી થાય છે. સિંહનંદિતાને જીવ પ્રથમ દેવલોકથી એવી જ્યોતિપ્રભા નામની વાસુદેવની પુત્રીપણે જન્મે છે. ત્યારપછી અર્ક કીર્તિ રાજા વાસુદેવને ત્યાં અમિતતેજ અને સુતારા સાથે આવે છે. ત્યાં સ્વયંવર મંડપ રચાય છે. જ્યોતિષ્મભા અમિતતેજના કંઠમાં અને બીજી શ્રીવિજયના કંઠમાં વરમાળા નાંખતા તેના લગ્ન થાય છે, પછી છેવટે અકીર્તિ ચારિત્ર લે છે. પૂર્વકાળમાં તે યોગ્યવયે કુંવરને રાજ્ય સોંપી પિતા (રાજાઓ) દીક્ષા લઈ આત્મકલ્યાણ સાધતા હતા. હવે અહિં પિતનપુરમાં સુવર્ણકુંભ નામના આચાર્ય જેઓ શ્રેયાંસનાથ પ્રભુના શિષ્ય હતા તે પરિવાર સહિત પધારે છે જ્યાં અચળદેવ આવે છે. મુનિશ્રીને ઉપદેશ શ્રવણ કરી ત્રિપુષ્ટ કઈ ગતિમાં ગયેલ છે, તેમ પૂછતાં પંચેંદ્રિયને વધ કરનાર, મહાઆરંભી તે મરીને સાતમી નરકમાં ગયેલ છે અને છેવટે છેલ્લે તીર્થકર તે થશે તેમ આચાર્ય મહારાજ જણાવે છે. પછી અચળ દીક્ષા લે છે, અને તેના પુત્ર વિજયને રાજ્ય સેપે છે, ત્યાં એક નિમિત્તિ આવે છે તે રાજાને કહે છે કે –“ આજથી સાતમે દિવસે પિતનપુરના રાજાના મસ્તક પર વિજળી પડશે અને મારા ઉપર વસ્ત્ર, આભરણ, રત્નની વૃષ્ટિ થશે.” વગેરે જણાવતાં સર્વ રાજલેક કે વહાણુમાં રાખવા, કઈ ગુફામાં રાખવા વગેરે રાજાને બચાવવા પિતાની બુદ્ધિવડે જર્ણવે છે. આ ઉપાય પણ કષ્ટના હેતુરૂપ છે. ભાવિભાવ અન્યથા મિથ્યા કરવા કઈ શક્તિમાન નથી તે ઉપર રૂલ્સમ નામના બ્રાહ્મણનું એક સામાન્ય દષ્ટાંત સંક્ષિપ્તમાં અહિં આપવામાં આવે છે. (૫. ૨૩) પછી એક મંત્રી રાજાને બદલે સાત દિવસ સુધી શ્રીવિજયને રાજ્ય ઉપર બેસાડવા જણાવે છે અને રાજ જિનાલયમાં તપ કરે તેમ કહેતાં રાજા પિતાને બલે બીજાનું મરણ તે રીતે કરવા ના પાડે છે. પછી નિમિરિયાના કહેવા મુજબ યક્ષની કાછમય પ્રતિમાને રાજ્યાભિષેક કરી સ્થાપન કરે છે, અને રાજા કુટુંબ સહિત જિનમંદિરમાં જઈ પૌષધવત રહણ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy