SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૭૪ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. સુખના સ્થાનરૂપ આ દેવપણું પામ્યો ન હેત. તું પહેલાં અહીં મનુષ્ય હતો, પછી તું દેવ થયે છે, તેથી જે જીવ ન હોય, તે આ પણ શી રીતે ઘટે?” વગેરે હેતુઓ વડે વાયુધ કુમારે તે દેવને પ્રતિબોધ પમાડ્યો, ત્યારે તુષ્ટમાન થયેલે તે બે કે –“હે કુમાર ! તે સારું કર્યું, કે જેથી ભવસાગરમાં પડતા મારે સારા જ્ઞાનરૂપી હેસ્તના આલંબનવડે ઉદ્ધાર કર્યો.” પછી તેણે તે કુમારની જ પાસે સમ્યકૃત્વ ગ્રહણ કર્યું. અને “તારું હું શું પ્રિય કરું?” એમ તે કુમારને કહ્યું. ત્યારે ઈચ્છા રહિત તેને ઉત્તમ અલંકાર આપીને તે દેવ વર્ગમાં ઈશાનેંદ્રની પાસે ગયો. પછી છે આ જિદ્ર થશે.” એમ જાણીને ભક્તિ વડે રંજિત ચિત્તવાળા ઈશાને તે વજાયુધ કુમારની પૂજા કરી. પછી કઈક દિવસ વસંત ઋતુને સમયે કામદેવની જેવા તે કુમારને ક્ષુધા (નીચ-હલકી ) સુદર્શનાએ પુપો આપીને વિનંતિ કરી, કે–“હે દેવ! લકમીવતી દેવી તમારી સાથે સૂરનિપાત નામના ઉદ્યાનમાં સારી ક્રીડા કરવાને ઇચ્છે છે.” ત્યારે વાયુધ કુમાર સાતસો (પોતાની) રાણીઓમાં અગ્રેસર તે લક્ષમીવતી દેવીની સાથે તે શ્રેષ્ઠ ઉદ્યાનમાં ગયા. ત્યાં લેકે વિવિધ પ્રકારની ક્રીડા કરવા પ્રવર્તી, અને પ્રિય દર્શનવાળે કુમાર પ્રિયા સહિત વાવમાં ગયે. તેમાં પ્રવેશ કરીને અનુરાગવાળી પત્નીઓ સહિત લજજાને દૂર કરીને તે જળક્રીડા કરવા લાગ્યું. તે વખતે દમિતારિને જીવ સંસારમાં ભમીને પૂર્વ ભવમાં કાંઈક અનુષ્ઠાન કરીને વિદષ્ટ્ર નામે દેવ થયે. તે કુમારને જળક્રીડામાં તત્પર જેઈને પૂર્વના મત્સર(ઈર્ષા)ને લીધે તેના વધને માટે તેણે વાવની ઉપર મેટો પર્વત મૂકો. અને નીચે તે દુષ્ટ આશયવાળાએ તે કુમારને નાગપાલવડે બાપે. વાયુધ પણ મોટા બળવડે ચક્રવતી છે તેથી બે હજાર યક્ષવડે અધિષિત (આશ્રિત) થયેલા તેણે તે પર્વતને ભેદી નાંખે, અને નાગપાશને તેડી નાંખે. પછી વાવમાંથી નીકળીને સર્વ રાણુઓના સમૂહથી પરિવરેલા, અક્ષત અંગવાળા તે કુમારે ચિરકાળ સુધી તે ઉદ્યાનમાં ક્રીડા કરી. આ અવસરે ઇદ્ર જિનેશ્વરને નમીને શાશ્વતી યાત્રાને માટે મહાવિદેહમાંથી નંદીશ્વર દ્વીપ તરફ પાછો વળ્યો. તે વખતે પર્વતને ભેદીને તથા પાસને છેદીને પ્રિયા સહિત વાવમાંથી નીકળતા તે કુમારને વિસ્મય સહિત જે. પછી જ્ઞાનના ઉપયોગથી તેને ભાવી (થવાના) તીર્થકર જાણને મોટી ભક્તિવડે તેને ના, અને બે હાથ જોડીને તેણે આ પ્રમાણે સ્તુતિ કરી-“હે કુમારેંદ્ર! તે ધન્ય છે, કે જે તું ભરતક્ષેત્રમાં લોકોને શાંતિ કરનાર શાંતિ નામને સોળમો તીર્થકર થઈશ.” આ પ્રમાણે સ્તુતિ કરીને તે ઈ ઈચ્છિત સ્થાને ગયે. કુમાર પણ ઉદ્યાનમાં ક્રીડા કરીને પોતાને ઘેર ગયે. પછી રિથતિને જાણનારા લેકાંતિક દેએ ક્ષેમકર રાજાને પણ “તીર્થ પ્રવર્તાવો” એમ ઊંચે સ્વરે જણાવ્યું (કહ્યું). ત્યારે જગતને પ્રિય વાયુધને રાજ્ય ઉપર સ્થાપન કરીને તથા વાર્ષિક દાન આપીને તેણે ચારિત્ર ગ્રહણ કર્યું. જિનના ચિહ્નવડે કેટલાક કાળ કેવળજ્ઞાન રહિત વિહાર કરીને પછી ઘાતિ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy