SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ [ 2 ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. ગ્રહણ કર્યું. સર્વ સામગ્રી કરીને તથા જળાદિકનો સંગ્રહ કરીને પછી વહાણ ઉપર ચડીને તેઓ સમુદ્રમાં પેઠા. તેઓ મહાસમુદ્રમાં ગયા ત્યારે ક્ષણવારમાં કાળ વિનાને દુર્દિન થયે, અને આકાશમાં મેઘ ગર્જના કરવા લાગ્યો. વારંવાર વીજળી વિલાસ કરવા લાગી, કલેલો ઉછળવા લાગ્યા, અને જોરાવર વાયુ વાવા લાગ્યું. તેથી તે વહાણ નાચવા લાગ્યું. અને ક્ષણવારમાં જ વિધુર અવસ્થામાં અધીર પુરુષના ચિતની જેમ તે ફૂટી ગયું. તેમાં રહેલા કે મરી ગયા. અને વહાણના સ્વામી તે બન્ને કાંઈક પાટિયાને પામીને અને તેને ગાઢ આલિંગન કરીને ત્રણ દિવસે રત્નદ્વીપના તીરને પામ્યા. ત્યાં નાળિયેરના ફળવડે પ્રાણયાત્રા કરીને તે અને તેના તેલના અયંગના ગવડે સારા શરીરવાળા થયા. પછી ત્યાં રત્નદ્વીપદેવી નામની, કૂર, નિર્દય અને હાથમાં તીર્ણ ખર્શને ધારણ કરનારી દેવતા આવી. અને એમ બોલી કે-“અહો ! જે તમે મારી સાથે વિષયની સેવા કરો, તે તમારા પ્રાણની કુશળતા થશે. નહીં તે આ ખવડે નિત્યે તમારાં મસ્તક છેદી નાંખીશ.” આ પ્રમાણે તેણીએ કહ્યું ત્યારે ભય પામેલાં અંગવાળા તે બને પણ આ પ્રમાણે બોલ્યા કે-“હે દેવી ! વહાણ ભાંગી જવાથી અમે અહીં તારે શરણે આવ્યા છીએ, તેથી તું અમને જે કાંઈ આદેશ આપીશ, તે અમે શંકા રહિત કરશું.” પછી પ્રસન્ન મનવાળી તેણીએ તેમને પોતાના પ્રાસાદમાં લઈ જઈને તેમના શરીરમાંથી અશુભ પુદ્ગલોને દૂર કર્યા. પછી તેમની સાથે ઈચ્છા પ્રમાણે વિષય સંબંધી સુખ ભોગવવા લાગી, અને દરેક દિવસે( હંમેશાં) તેમને સુધાફળનો આહાર આપતી હતી. આ પ્રમાણે રહેલા તે બન્નેના કેટલાક દિવસો જેટલામાં ગયા, તેટલામાં ત્યાં એક દિવસે તેણીએ તેમને આ પ્રમાણે કહ્યું કે-“લવણસમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિત દેવે મને આજ્ઞા આપી છે કે- “હે ભદ્રા! તું એકવીશ વાર આ સમુદ્રને શુદ્ધ કર. તેમાં જે કાંઈ તૃણ, કાષ્ઠ વગેરે અશુચિ પદાર્થ હેય, તે સર્વેને મારી આજ્ઞાથી એકાંતમાં ત્યાગ કર.” તેથી મારે ત્યાં જવું છે. અને હું શુભ આશયવાળા ! તમે આ શ્રેષ્ઠ ફળાવડે પ્રાણવૃત્તિને કરતા અહીં જ રહેજે. કોઈપણ પ્રકારે વિજાપણું હોવાથી જે તમને અહીં અરતિ (અપ્રીતિ) ઉત્પન્ન થાય, તે તમારે શંકારહિત પૂર્વ દિશાના વનખંડમાં જવું. ત્યાં સર્વદા ગ્રીષ્મ અને પ્રવૃષ નામના બને જતુ રહ્યા છે, તે તમારા પણ વિનેદને માટે થશે. અને ત્યાં પણ તમારું ચિત્ત કઈ પણ પ્રકારે ન આનંદ પામે, તે અહો ! મારી આઝાવડે. ઉત્તર વનખંડમાં જવું. ત્યાં પણ નિરંતર શરદ અને હેમંત નામની બે ઋતુઓ હશે. તે તમોને સ્વાધીન છે. ત્યાં પણ તમને જે પ્રીતિ ન થાય તો પશ્ચિમના વનની અંદર જવું ત્યાં પણ શિશિર અને વસંત નામની બે ઋતુ સ્થિર છે. પછી ઉત્સુક્તાને સંભવ થાય તો આ પ્રાસાદને વિષે જ આવવું, પરંતુ આ દક્ષિણ તરફના વનમાં કઈ પણ રીતે જવું નહીં. કેમકે ત્યાં શ્યામ કાંતિવાળે, ભુમ કાયાવાળે, બે જિહવાવાળે અને પૃથ્વીરૂપી સ્ત્રીને વેણીરૂપ દષ્ટિવિષ સર્ષ છે.” એ પ્રમાણે કહીને તે દેવી ગઈ. અને તે માર્કદીના પુત્રો પૂર્વે કહેલા તે ત્રણે વનખંડમાં જતા હતા. પછી તેઓ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy