SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૩૬ ] શ્રી શાંતિનાથ પ્રભુ ચરિત્ર. પ્રસન્ન મનવાળા તે બુદ્ધિમાને તેને સુવર્ણની ઇંટના ચાર સંઘાટ(સંપુટ) આપ્યા. પછી તે રાજાની પાસે ગયો. સભામાં બેઠેલા તેની પાસે માતંગ પણ આવીને ગાવા લાગ્યો. તે ગીતથી રંજિત થયેલા રાજાએ સ્થગીધરને કહ્યું કે –“હે સ્થગીધર ! આ શ્રેષ્ઠ ગાંધર્વને તું તાંબૂલ આ૫” ત્યારે તાંબૂલ દેતા તેના કંઠ પકડી ભેટીને કહ્યું કે “હે ભાઈ! ઘણે કાળે તને જે.” એમ બોલતે તે રોવા લાગે. “આ શું ?” એમ રાજાએ પૂછતાં તે સારી બુદ્ધિવાળો મત્સ્યોદર હૃદયમાં ઉપાયને વિચારીને બોલ્યો કે-“હે દેવ ! આણે સત્ય કહ્યું છે. આ નગરમાં પહેલાં અમારા બંને પિતા માતંગ મેટ ગાયક હતે, તેથી તે રાજાની પ્રીતિનું પાત્ર હતો. તેને બે ભાર્યા હતી, હે પ્રભુ! તે બેના અમે બે પુત્રો થયા. મારી માતા તેને કાંઈક અનિષ્ટ હતી, તેથી હું પણ મારા પિતાને અનિષ્ટ હતું. તે અદીર્ઘદશી મારા પિતાએ મારી જંઘામાં પાંચ રને નાંખ્યાં, અને તેને બહાર રૂઝ. તથા મને કહ્યું કે –“હે વત્સ! વિપત્તિમાં આનું ભક્ષણ કરજે.” તથા તેણે આના અંગને વિષે ઘણાં રત્નો નાંખ્યાં.” એમ કહીને રાજાને વિશ્વાસ ઉપજાવવા માટે શ્રેષ્ઠ બુદ્ધિમાન તે ધનદે પિતાની જાંઘ ફાડીને તે તેનો દેખાડ્યાં. ત્યારે રાજાના આદેશથી સીપાઇઓ ગીતરતિને બાંધીને વિદારવા લાગ્યા. ત્યારે અતિ દીનવાણુવાળે તે આ પ્રમાણે બોલે, કે-“હે સ્વામી ! આ મારો ભાઈ નથી, પરંતુ તે પાપી સાર્થવાહ મને ધન આપીને મારી પાસે આ નિંદ્ય કર્મ કરાવ્યું છે. હે દેવ! જે મારી વાણી વડે તમને પ્રતીતિ વિશ્વાસ) ન થતી હોય, તો મારે ઘેરથી તે સુવર્ણના સંઘાટ મંગાવો.” ત્યારે રાજાએ પણ મદરના મુખ તરફ જોયું. ત્યારે તેણે પણ રાજાને કહ્યું કે–“હે પ્રભુ! આ પણ સત્ય છે.” ફરીથી રાજાએ કહ્યું કે-“હે મત્સ્યોદર! પરમાર્થ(સત્ય)ને જણાવ, કેમકે આ સર્વ મોટું આશ્ચર્યકારક છે.” ત્યારે તે બે કે-“હે રાજા ! આ વણિકના વહાણ વિષે મારા સવા આઠસો સુવર્ણના સંઘાટ છે. તથા કાંતિવાળા પંદર હજાર રન છે. આ સર્વ જાણુને હે પૃથ્વીના સ્વામી ! જે કરવા લાયક હોય તે કરો. વળી અહીં આ અભિજ્ઞાન છે કે, તે સર્વે સંપુટો ઓળખવા માટે મેં પિતાના(મારા) નામથી અંકિત કર્યા છે. પછી રાજાએ તેને તેનું નામ પૂછયું ત્યારે તેણે તે પિતાનું નામ (ધનદ ) કહ્યું. પછી રાજાએ તે માતંગના ઘેરથી તે સંઘાટ મંગાવ્યા. પછી બે ભાગ કરીને તેની અંદર તે ધનદ નામ જોઈને તત્કાળ તે માતંગ અને વણિક ઉપર ક્રોધ કર્યો. પછી રાજાવડે હણતા તે બનેને મત્સ્યોદરે જ મૂકાવ્યા. અને પછી તે ધનદ કલ્યાણજળવડે રચનાન કરીને પવિત્ર થશે. તે વણિક પાસેથી અને માતંગ પાસેથી પણ પિતાની વસ્તુ લઈને તેમનું ઉચિત કરીને તે ધનદ ધનદ(કુબેર ભંડારી દેવ) જેવો થા. પછી રાજાએ ફરીથી પૂછેલા તેણે પિતાની સાચી કથા કહી કે–“હે દેવ! હું આ ગામમાં ૧ લાંબો વિચાર નહીં કરનાર. ૨ નિશાની-ચિહ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005224
Book TitleShantinath Prabhu Charitra
Original Sutra AuthorN/A
AuthorAjitprabhacharya
PublisherAtmanand Jain Sabha
Publication Year1947
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy