SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ શ્રાદ્ધગુણ વિવરણું, શબ્દાર્થ–બજેમ સમુદ્ર યાચાપણાને પ્રાપ્ત થતું નથી અને પાણીથી ભરાય છે તેમ આત્માને પાત્રપણાને પમાડે તેથી પાત્રમાં સંપત્તિઓ પિતાની મેળે આવે છે. ” તે શુદ્ધ અજુ વ્યવહાર ચાર પ્રકારને છે તે કહે છે. યથાર્થ કહેવું ૧. અર્વાચન કિયા ૨. ભવિષ્યના અપાયને (અનર્થને) પ્રકાશ કરે. ૩. અને મૈત્રી ભાવને સદ્ભાવ ૪. અજુ એટલે સરળ, શુદ્ધ એટલે દેષ રહિત એવે વ્યવહાર નામને ગુણ ચાર પ્રકારનો છે, તે બતાવે છે. યથાર્થ કહેવું એટલે ધર્મમાં, લેવડ દેવડમાં અને સાક્ષી કે બીજા વ્યવહાર વિગેરેમાં વિરોધ રહિત વચનનું બેલવું, અહિં આ તાત્પર્ય છે –નિરંતર ધર્મ અને અધર્મને જાણું ભાવ શ્રાવકે પરને ઠગવાની બુદ્ધિથી બેલતા નથી, અને તેઓ સાચું અને મધુર બેલે છે.ખરીદ કરવાના અને આપવાના સાટામાં પણ ઓછી વધારે કિમત કહેતા નથી અને સાક્ષીમાં નિયુક્ત કર્યા હોય તે પણ અસત્ય વચન બોલતા નથી. રાજાની સભા વિગેરેમાં જઈ કઈ પણ મનુખ્યને અસત્ય વચનથી દૂષિત કરતા નથી, અને ધર્મમાં આસક્ત એવા ભાવ શ્રાવકે ધર્મના ઉપહાસ્યજનક વચનને કમળ શ્રેષ્ટિ વિગેરેની પેઠે ત્યાગ કરે છે. આ જજી વ્યવહારને પ્રથમ ભેદ થયે. ૨ અર્વાચન ક્રિયા એટલે પરના દુઃખમાં અકારણભૂત એવી મન વચન અને કાયાના વ્યાપાર રૂપ કિયા તેને અવંચન ક્રિયા કહે છે. સદશ વિધિથી અને ત્રાજવાં અને પાલા વિગેરેથી ઓછું આપી અને વધારે લઈ શુદ્ધ ધર્મને અથી બીજાને ઠગે નહીં. અર્વાચન ક્રિયા ઉપલક્ષણથી અઢાર પ્રકારની પ્રસિદ્ધિના ત્યાગપૂર્વક, ચેરેનું લાવેલું અને તેના ચાર સંબંધી) પ્રગ વિગેરેને ત્યાગ કરે તે આ પ્રમાણે છે–ચેર, ચેરી કરાવનાર, ચેરને સલાહકાર, ચેરના ભેદને જાણુ, ચેરીના માલને ખરીદનાર, ચારને ખોરાક આપનાર અને અને ચોરને સ્થાન આપનાર એ સાત પ્રકારના ચેર કહેવાય છે. તેમાં કાણકક્રયી એટલે ચેરનું લોવેલું ઘણું કિમતનું પણ કાણુક એટલે આ ખરાબ છે એમ કહી ડી કિમતથી ખરીદ કરી લે તેને કાણકક્યી કહે છે. હવે અઢાર પ્રસિદ્ધિઓનું વર્ણન કરે છે. ભલન ૧, કુશળ ૨, તર્જા ૩, રાજગ ૪, અવકન પ, અમાર્ગદર્શન ૬, શય્યા ૭, તથા પદભંગ ૮, વિશ્રામ ૯, પાદપતન ૧૦, આસન ૧૧, તથા ગોપન ૧૨, ખંડનું ખાદન ૧૩, તથા વળી મહારાજિક ૧૪, પદ્ય ૧૫, અગ્નિ ૧૬, ઉદક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy