SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ પ‘ત્રિશત્ ગુણવર્ણન. ૨૩૭ जितेन्द्रियत्वं विनयस्य कारणं गुणप्रकर्षो विनयादवाप्यते । गुणानुरागेण जनोऽनुरज्यते जनानुरागः प्रभवा हि संपदः ॥३॥ શબ્દા:જિત દ્રિયપણું' વિનયનુ કારણ છે, વિનયથી ચુણાને પ્રક પ્રાપ્ત કરાય છે. ગુણાનુરાગથી લાક રાગી થાય છે અને લેાકેાના અનુરાગથી ઉત્પન્ન થનારી સપઢાઓ પ્રાપ્ત થાય છે. ।। ૩ । સંગ્રામમાં મેળવેલા જયથી પણ ઇંદ્રિયાના જય મ્હોટા ગણાય છે, એટલે ઈંદ્વિચાના જય મેળવવા ઘણા મુશ્કેલ છે. તે આ પ્રમાણે છે— સેા મનુષ્યેામાં એક શૂરવીર, હજારમાં એક પંડિત અને લાખામાં એક વક્તા હાય છે, પરંતુ દાનેશ્વરી તે હાય ખરા અથવા ન પણુ હાય; અર્થાત્ દાનેશ્વરી ૬ર્લભ હાય છે, યુદ્ધમાં જય મેળવવાથી શૂરવીર, વિદ્યાથી પંડિત, વાક્ચાતુર્ય થી વક્તા અને ધન દેવાથી કાંઇ દાતાર કહેવાતા નથી, પરંતુ ઇંદ્રિચાને જિતવાથી શૂરવીર, ધર્મનું આસેવન કરવાથી પંડિત, સત્ય ભાષણ કરનાર વક્તા અને ભય પામેલ જં તુઓને અભયદાન આપનાર દાનેશ્વરી, ગણાય છે. ઇંદ્રિયાના પ્રસંગથીજ મનુષ્ય અવશ્ય દોષ સેવે છે. અને તેજ ઇંદ્રિયાને વશ કરવાથી મનુષ્ય અનુક્રમે સિદ્ધિ મેળવે છે. પુરૂષનું બનાવેલુ શરીર તે રથ છે, આત્મા નિયંતા ( સારથી ) છે. આ રથના ઘેાડા ઇંદ્રિયા છે તે ઇંદ્રિયરૂપ શ્રેષ્ઠ અને કુશળ ઘેાડાઓને સાવધાન થઇ દમનાર પુરૂષ સુખેથી ધીર પુરૂષની પેઠે ઇચ્છિત સ્થાનમાં પહોંચે છે. ચક્ષુદ્રિના વિજય મેળવવામાં લક્ષ્મણના હૃષ્ટાંત છે, તે આ પ્રમાણે છે–સીતાને કુંડલ, કંકણુ વગેરે છે ઈત્યાદિ પ્રશ્ન થતાં લક્ષ્મણે જવાબ આપ્યા કે તું કુંડલાને કે કાંકણુને જાગુતા નથી પરંતુ હમેશાં તેણીના ચરણકમળમાં વંદન કરતા હોવાથી ઝરા છે, તે હું જાણું છું. વળી સંપૂર્ણ ઇંદ્રિયાના જયનું મૂળ કારણ જીન્હા ઇંદ્રિયના જય છે અને તે જીન્હા ઇંદ્રિયના જય કરવા તે તેા તેવા પ્રકારના ઉચિત આહાર અને સંભાષણથી કરવા જોઇએ. નિંદા નહીં કરવા લાયક કર્માંથી પ્રાપ્ત થએલા તેમજ પ્રમાણેા પેત અને શ્રેષ્ઠ ક્રિયાઓમાં પ્રવૃત્તિ કરવા માટેજ આહાર કરવા ઉચિત ગણાય છે. તે માટે કહ્યું છે કે— आहारार्थं कर्म कुर्यादनिंयं भोज्यं कार्यं प्राणसंधारणाय । प्राणा धार्यास्तत्त्वजिज्ञासनाय तत्त्वं ज्ञेयं येन भूयो न भूयात् ॥४॥ શબ્દા :આહાર માટે અનિંદ્ય કર્મ કરવું, પ્રાણાને ધારણ કરી રાખવા માટે લેાજન કરવુ, તત્ત્વાની જિજ્ઞાસા માટેજ પ્રાણાને ધારણ કરી રાખવા અને તત્ત્વને જાણવુ` કે જેથી ફરી જન્મ લેવાજ ન પડે. ૫ ૪ ૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy