SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ તૃતીય ગુણ વર્ણન. માની વધારે ઈચ્છા કરવી ઉચિત નથી; કેમકે તેમ કરવાથી કંઈ પ્રાપ્ત થતું નથી, અને ઉલટું અસંતોષને લઈને એવી ઈચ્છા રાખનાર હંમેશાં દુઃખી જ રહે છે. કેટલીએક સ્ત્રીઓ પોતાના સ્વામી તરફથી મળેલાં વસ્ત્રાભૂષણથી સતેષ નહીં માનતાં બીજા ધનાઢયની સ્ત્રીઓનાં અતિ ઉત્તમ વસ્ત્રાભૂષણ જોઈ તેવાં મેળવવા પિતાના પતિને હેરાન કર્યા કરે છે. આથી સંતેષ શિવાયની સ્ત્રી સાથને ગૃહસંસાર સુખમય થત નથી; પણ જેની સ્ત્રી સતિષી હોય તેને આ દુનીયાંજ સ્વર્ગ રૂપ થાય છે. - જે સ્ત્રી સાક્ષર હોય છે તે ગમે તેવા પ્રસંગે પણ કઠોર મર્મભેદક અને બિભ ત્સ શબ્દ વિગેરેનો ઉચ્ચાર કદિ પણ કરતી નથી. અને અવસરે પણ મદનસુંદરીની પેઠે મધુર, પરિમિત અને સમયોચિત બેલનારી હોય છે. મધુર આલાપ પણ એક જાતનું વશીકરણ છે અને તે જેની પાસે હોય તેને આ જગત લીલા માત્રથી વશ થાય છે. પ્રિયભાષીપણુથી આ લેકમાં આદર, યશવાટ, ધર્મોગ્યતા અને પરલોકમાં સુખ સંપત્તિની પ્રાપ્તિ થાય છે, માટે મહાન ભાગ્યોદય પ્રાપ્ત થયેલા મનુષ્યભવને સાર્થક કરવા દરેક સ્ત્રીએ પ્રિયભાષીપણું મેળવવા સતત પ્રયાસ કરે જોઈએ. * પતિના ચિત્તને અનુસરીને વર્તનારી સ્ત્રી મણિ, મંત્ર, ઓષધિ અને કામણ ટુમણ વિના પણ પિતાના પતિને વશ કરી લે છે, માટે જે સ્ત્રીને પિતાના પતિને વશ કરવાની ઇચ્છા હોય તેણે રૂખમણી અને દ્વિપદીની પેઠે તેના અભિપ્રાયને અનુસરીને વર્તન કરવું કે જેથી પતિ સહેજે વશ થશે.આ ગુણ પણ દરેક સ્ત્રીઓને અનુકરણ કરવા ગ્યા છે જે સ્ત્રીમાં આ ગુણ હોય છે તે સ્ત્રી પતિની માનનીક હોવાથી હંમેશાં સુખી થાય છે. પિતાના કુળને ઉચિત હોય તેટલેજ ખરચ કરનારે જી હાય તો તે કુટુંબમાં પ્રિય થઈ પડે છે, અને વિશ્વાસ પાત્ર થાય છે. જે પતિ પાસે જોઈએ તેટલા પસાની જોગવાઈ ન હોય, અને સ્ત્રી વિશેષ ખર્ચાલુ હોય તે તે ઘર જલદી દુર્દશાને પ્રાપ્ત થાય છે. માટે સ્ત્રીઓએ પિતાના પતિની સંપત્તિને અનુસાર ખર્ચ કરે, કે જેથી દિવસે આનંદથી નિર્ગમન થાય, આવી સ્ત્રી કુટુંબનું ઘણું માન મેળવવા ભાગ્યશાળી થાય છે. ઉપરોક્ત સર્વ ગુણોપેત જે સ્ત્રી હોય તેને લક્ષમી તુલ્ય ગણવામાં આવે છે, અને તેવી જ સ્ત્રીએ ઉભય કુળને પ્રકાશમાં લાવે છે. માટે ગૃહસ્થ એ ઉપરના બે કલાકમાં જણાવેલા ગુણયુક્ત જે સ્ત્રી હોય તેવી સ્ત્રીને સંગ્રહ કરે ઉચિત છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005223
Book TitleShraddhagun Vivaran Bhashantar
Original Sutra AuthorN/A
AuthorJinmandangani, Chaturvijay
PublisherAtmanand Jain Sabha
Publication Year1916
Total Pages282
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy