SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન શાસનના ચમકતા સિતારા ૦ ૨૩૫ સમજે તે માટે તેણે તીક્ષ્ણ કુહાડો પોતાના પગ ઉપર માર્યો અને જોરજોરથી બૂમબરાડા પાડતો બોલ્યો, “મને ઘણું દુઃખ થાય છે. આ વેદના અસહ્ય છે. જલદી કરો. આ મારા દુઃખનો થોડો થોડો ભાગ તમે બધાં ગ્રહણ કરો, જેથી મારું દુઃખ એકદમ ઓછું થઈ જાય.” ત્યારે સ્વજનો બોલ્યા, “જો કોઈ પણ કારણથી અમને દુઃખ ઉત્પન્ન થાય તો અમે તે ભોગવીએ, પણ એવો કોઈ ઉપાય નથી કે બીજાના શરીરનું દુઃખ કે પીડા અન્ય લઈ શકે, માટે અમે લાચાર છીએ. તારું દુઃખ તો તારે જ ભોગવવું રહ્યું.” હવે સુલતે બધાંને સમજાવ્યું: “તમે પાપ વહેંચી લેવાની વાત કરો છો, તે શી રીતે ભાગે લેશો? માટે હું મારા બાપનો ખોટો ધંધો સહેજ પણ કરનાર નથી.” આમ પોતાનો નિશ્ચય જાહેર કર્યો. આ સાંભળી સઘળાં સગાંઓ મૌન થઈ ગયાં. પછી સુલસને, મંત્રી અભયકુમારે ભગવાન શ્રી મહાવીર સ્વામી પાસે શ્રાવક ધર્મ અંગીકાર કરાવ્યો અને સમ્યક પ્રકારે ધર્મપાલન કરી તે સ્વર્ગે ગયો. ભરતી અને ઓટનો સરવાળો તેનું નામ સાગર, સુખ અને દુઃખનો સરવાળો તેનું નામ સંસાર. જેણે પોતાપણું ખોયુ એણે બધુ ખોયુ. વર્તમાનમાં સમતા અને સંતોષ, જીવનમાં શાંતિ, મરણમાં સમાધિ, પરલોકમાં સદ્ગતિ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005214
Book TitleJain Shasan na Chamakta Sitara
Original Sutra AuthorN/A
AuthorVarjivandas Vadilal Shah
PublisherVarjivandas Vadilal Shah
Publication Year
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy