SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ કર્યું છે, ઘર છોડીને મુનિત્વ સ્વીકાર્યું છે. જો તમારી શ્રદ્ધા કમજોર થઈ જશે તો તમારું નિષ્ક્રમણ દુઃનિષ્ક્રમણ બની રહેશે. જો શ્રદ્ધામાં શિથિલતા આવી જશે તો મુનિ બનવાનો કોઈ સાર નહિ મળે. આપણે દશવૈકાલિક સૂત્ર જોઈએ, આચારાંગ જોઈએ, મુનિને વારંવાર એવો સંબોધ આપવામાં આવ્યો છે કે જે શ્રદ્ધાસહિત તમે અભિનિષ્ક્રમણ કર્યું છે, સંયમનો પંથ સ્વીકાર્યો છે એ જ શ્રદ્ધાથી તમે આચારનું સમ્યક્ અનુપાલન કરો. સંકલ્પ, લક્ષ્ય અને શ્રદ્ધા સફળતાનું સૂત્ર છે શ્રદ્ધાની નિરંતરતા. જે વ્યક્તિ શ્રદ્ધાને નિરંતર વધારતી રહે છે, તે પોતાના લક્ષ્યમાં અવશ્ય સફળ થઈ જાય છે. શ્રદ્ધાની નિરંતરતામાં બહુ મોટો અવરોધ છે મનની ચંચળતા. શ્રદ્ધાની સઘનતા જળવાઈ રહે, જે વિષયને પકડીએ, તેને નિરંતર તન્મયતાપૂર્વક પકડી રાખીએ, તેને છોડીએ નહિ. સફળતા શીઘ્ર મળી જશે. વ્યક્તિએ ધ્યાનનો આજે એક પ્રયોગ કર્યો, કાલે બીજો પ્રયોગ કર્યો, થોડાક દિવસ પછી ત્રીજો પ્રયોગ શરૂ કરી દીધો. આ રીતે પચાસ પ્રયોગો કરનાર વ્યક્તિ કોઈપણ પ્રયોગમાં સફળ નહીં થઈ શકે. જો એક વ્યક્તિ એક જ પ્રયોગ કરે, દીર્ઘ શ્વાસ પ્રેક્ષાનો પ્રયોગ કરે અને એને સાધતી રહે તો એ એક પ્રયોગ તેને તેના લક્ષ્ય સુધી પહોંચાડી શકે છે, પચાસ પ્રયોગો પહોંચાડી શકતા નથી. શ્રદ્ધાનું નિયોજન, એકાગ્રતા અને એક લક્ષ્ય બની રહે એ આવશ્યક છે. લક્ષ્યમાં અવઢવ ન થાય, માણસ એના ઉપર ટકી રહે તો તે જીવનમાં સફળ થઈ શકે છે. કોઈ વ્યક્તિ પ્રવાસ માટે પ્રસ્થાન કરે છે પરંતુ તે ત્યારે જ પોતાના ગંતવ્ય ઉપર પહોંચી શકશે કે જ્યારે તે સતત ચાલતો રહે, સાચી દિશામાં ચાલતો રહે. સંકલ્પ, લક્ષ્ય અને શ્રદ્ધા બદલાતાં રહે તો માણસ કયાંય નહિ પહોંચી શકે. જીવનની લગામ સફળતાનું બીજું સૂત્ર છે ધૃતિ. ધૃત્તિ પ્રબળ હોવી જોઈએ. ધૃતિમાં દુર્બળતા આવી જાય તો પગ અટકી પડે છે. એ વ્યક્તિનું નિષ્ક્રમણ સારું નથી બનતું જેની ધૃતિ નબળી પડી જાય છે. ચાણક્ય અનેક યુદ્ધ હારી ગયો, તેનું સૈન્ય વેરવિખર થઈ ગયું, અનેક ગામ-નગર તેના હાથમાંથી છિનવાઈ ગયાં, છતાં તે નિરાશ ન થયો. સઘળું ચાલ્યા જવા અસ્તિત્વ અને અહિંસા : ૨૪૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy