SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ આત્માનું આ સ્વરૂપ સામે આવે છે ત્યારે આત્માનું એક પૂર્ણ ચિત્ર તૈયાર થાય છે, સંસારી જીવનું રૂપ તદ્દન બદલાઈ જાય છે. આપણે શરીરધારી છીએ, મુક્ત આત્મા અશરીરી છે. આપણે મૂર્ત છીએ, મુક્ત આત્મા અમૂર્ત. મુક્ત આત્મા માત્ર જ્ઞાનમયસત્તા છે. આપણો આત્મા જ્ઞાનમય છે તો સાથેસાથે અજ્ઞાનમય પણ છે, આવરણયુક્ત પણ છે. તેના આધારે આત્માના બે પ્રકાર પડી ગયા- બદ્ધ આત્મા અને શુદ્ધ આત્મા. આત્માનું ધ્યાન પ્રશ્ન એ છે કે આપણે કયા આત્માનું ધ્યાન કરવું ? આચારાંગ સૂત્રના પાંચમા અધ્યયનમાં આત્માના સંદર્ભમાં જે સૂત્રો છે, તે આત્માના ધ્યાનનાં સૂત્રો છે. જો આ સંપૂર્ણ આલાપકને દરરોજ વીસપચ્ચીસ વખત પણ યાદ કરવામાં આવે તો આત્માની વાત ક્રમશઃ સમજાતી જશે. આત્માના ધ્યાનનો બીજો પ્રકાર છે રાગદ્વેષમુક્ત ક્ષણમાં જીવવાનો અભ્યાસ. આપણે નિર્વિકલ્પ સમાધિમાં રહેવાનો અભ્યાસ કરીએ. અભ્યાસ કરતાં કરતાં આપણે એક દિવસ આત્માનુભૂતિની ક્ષણમાં પહોંચી જઈશું. આપણે આત્માને માત્ર જાણવાનો નથી, આત્માને પામવાનો છે, તમામ વિચારોથી મુક્ત થઈને માત્ર ચૈતન્યમય અનુભૂતિમાં પહોંચી જવાનું છે. જ્યારે આવી ભૂમિકા પ્રાપ્ત થાય છે ત્યારે આત્માનું સ્વરૂપ સમજાઈ જાય છે, આત્માનો સાક્ષાત્કાર થવા લાગે છે. Jain Education International અસ્તિત્વ અને અહિંસા ૨૧૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy