SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક સમગ્ર જગત સાથે જોડાયેલી અનુભૂતિ બની રહેશે. આ પુસ્તકનો અનંતર સંબંધ છે. કેટલાક આકાશપ્રદેશો સાથે, પુદ્ગલો સાથે અને તેનો પરસ્પર સંબંધ છે સમગ્ર લોક સાથે. સમગ્ર લોકને જાણ્યા વગર આ પુસ્તકને ક્યારેય જાણી શકાતું નથી. અભેદ બુદ્ધિ : અહિંસા આપણી સૃષ્ટિ સ્થૂળ છે, આપણી આંખોની શક્તિ મર્યાદિત છે. આપણે ભેદને જલદી પકડી લઈએ છીએ, અભેદને પકડી નથી શકતા, તેથી અહંકાર ખૂબ વધે છે. અહંકાર ભેદ કરવાનું ઇચ્છે છે, અલગ કરવાનું ઇચ્છે છે. અલગ કરવાની કે થવાની વૃત્તિ અહંકાર થકી પેદા થાય છે. જો આપણો અહંકાર શાંત હોય, કષાય શાંત હોય તો થોડાક ભેદ સિવાય માણસ અલગતાની વાત વિચારી જ કેમ શકે ? ‘જેને તું મારવા ઇચ્છે છે એ તું જ છે.’- આ વાત ત્યારે જ સમજાય છે કે જ્યારે અહંકારનો વિલય થઈ જાય. જ્યાં સુધી કષાયનો વિલય નથી થતો ત્યાં સુધી આ સૂત્ર સમજાતું નથી. જો આ અભેદની વાત સમજાઈ જાય તો હિંસા ઘટી જાય, માત્ર અનિવાર્ય હિંસા જ રહે. અહિંસામાં કોઈ ભેદ નથી હોતો. ભલે વનસ્પતિનો જીવ હોય, પાણી કે અગ્નિનો જીવ હોય માણસે પ્રથમ એ વિચારવું જોઈએ કે ‘એ હું જ છું’. આ અભેદ બુદ્ધિ જાગ્યા પછી જ અહિંસાની વાત પ્રતિષ્ઠિત થઈ શકશે. હિંસાનું કારણ : ભેદબુદ્ધિ ભેદબુદ્ધિને કારણે અહિંસાના ક્ષેત્રમાં પણ અનેક વિકલ્પો પ્રસ્તુત કરવામાં આવ્યા છે. અહિંસાના ક્ષેત્રમાં એમ કહેવાયું કે અમુક વ્યક્તિ માટે અમુકને બચાવી શકાય છે. મહાભારતનું પ્રસિદ્ધ સૂક્ત છે માનુષાત્ શ્રેષ્ઠતરં હિ કિશ્ચિંત્ મનુષ્યમાં શ્રેષ્ઠ કશું જ નથી, આ ખ્યાલને આધારે કેટલી બધી હિંસા ચાલી રહી છે ! એક માણસ માટે લાખો દેડકાં, સસલાં અને વાંદરાઓની હિંસા કરવામાં આવે છે, ઘેટાં-બકરાંની હિંસાની તો કોઈ ગણતરી જ થઈ શકે તેમ નથી. આ બધું શા માટે ? માત્ર માણસ માટે ! એમ માનવામાં આવ્યું કે માણસ કરતાં ઉત્તમ કોઈ પ્રાણી નથી, તેથી માણસ માટે જે કાંઈ કરવામાં આવે તે બધું જ ક્ષમ્ય છે. દવાઓના પરીક્ષણ માટે લાખો ઉંદર, દેડકાં, વાંદરા વગેરેને મારવામાં આવે છે. શા માટે ? એટલા માટે કે માણસને બચાવવો છે. એક અસ્તિત્વ અને અહિંસા | ૨૦૯ ૧૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy