SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ બમણી મૂMીમી આચાર્ય ભિક્ષુને કોઈકે પૂછ્યું, “ગુરુદેવ! માણસ નીચે કેમ જાય છે ? ડૂબે છે કેમ ? ” આચાર્ય ભિક્ષુએ કહ્યું , “તે ભારે હોવાને કારણે નીચે જાય છે, ડૂબે છે.” જે હલકું હોય છે તે ઉપર જાય છે, જે ભારે હોય છે તે નીચે જાય આચાર્ય ભિક્ષુએ ઉદાહરણની ભાષામાં કહ્યું કે પૈસાને પાણીમાં નાંખો તો તે ડૂબી જશે. પૈસાની કટોરી બનાવો અને તેમાં પૈસો નાંખો તો તે તરશે. પૈસાને નવી દિશા મળી, તેની કટોરી બની ગઈ તો એ જ પસો તરવા લાગ્યો. જેમ જેમ ચિત્ત ભારે થાય છે તેમ તેમ તે નીચે જાય છે. ચિત્તને નવી દિશા આપો, તેને હલકું બનાવી દો તો ચિત્ત ઉપર આવી જશે, તે તરવા લાગશે. માત્ર એટલું જ નહિ, તે પોતાની સાથે બીજાઓને પણ તારી દેશે. જરૂર છે પૈસાને દોરીના રૂપમાં બદલવાની, જરૂર છે ચિત્ત અને ચેતનાને નવી દિશા આપવાની. બુદ્ધિ અને આચરણ માનવીના પ્રત્યેક આચરણ પાછળ તેની બુદ્ધિ કામ કરતી હોય છે. જેવી બુદ્ધિ હશે એવું જ એનું આચરણ થશે. સમસ્યા એ છે કે બુદ્ધિ એકસરખી નથી રહેતી. તેથી માણસ ક્યારેક સમજણનું કામ કરે છે તો ક્યારેક મૂર્ખામીનું કામ પણ કરી બેસે છે. એવું પણ કોઈ નથી કે જેને સમજદાર કહી શકાય અને એવું પણ કોઈ નથી કે જેને મૂરખ કહી શકાય. સમજદાર વ્યક્તિ પોતાના જીવનમાં મૂર્ખામીનું અને મૂર્ખ વ્યક્તિ પોતાના જીવનમાં સમજદારીનું કામ કરતી રહે છે. એનું કારણ છે બુદ્ધિ અને મતિનું સતત ચાલતું પરિવર્તન. એક સંસ્કૃત કવિએ લખ્યું છે – પુરાણાન્ત સ્મશાને ચ, મૈથુનાજો ચ યા મતિઃ | સા મતિઃ સર્વદા ચેત્ સ્યાતું, કો ન મુચ્યત બંધનાત્ / – અસ્તિત્વ અને અહિંસા કે ૧૮૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy