SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ સમત્વ એ બન્ને પર્યાયવાચક શબ્દ છે. બન્નેના તાત્પર્યમાં કોઈ તફાવત નથી. જો સમત્વની દૃષ્ટિ નહિ જાગે તો સભ્ય કયાંથી આવશે ? સમત્વ આવી જાય અને સમ્યક્ દષ્ટિ ન જાગે એ શક્ય નથી. જ્યાં સુધી દૃષ્ટિકોણ સમ્યક નથી બનતો ત્યાં સુધી સમગ્ર વાત સમજાતી નથી. જે બહાર રહે છે તે સમગ્ર વાત સમજી શકતો નથી. સમ્યક્ત્વ આવતાં જ વ્યક્તિ ભીતરમાં પહોંચી જાય છે. જે ભીતરમાં પહોંચી જાય છે તેને સમગ્ર વાત સમજાઈ જાય છે. જ્યાં સુધી દૃષ્ટિકોણ સાચો નથી બનતો ત્યાં સુધી મૂલ્યાંકન પણ સાચું નથી થતું. સમ્યત્વ અધ્યયનમાં મૂલ્યાંકનની દૃષ્ટિઓ ઉપલબ્ધ છે. આપણે સાચું મૂલ્યાંકન કરીએ. મૂલ્યાંકન સાચું હશે તો પોતાના ઘરની અંદર રહેવાનું સૂત્ર આપણને હસ્તગત થઈ જશે. દુઃખનું કારણ અંદર કોણ ? બહાર કોણ ? આ પ્રશ્નને અનેક દૃષ્ટિએ સમજી શકાય તેમ છે. આ એક જ પ્રશ્નના અનેક ઉત્તરો છે. એક ઉત્તર આપવામાં આવ્યો કે જે વ્યક્તિ દુઃખને આરંભમૂલક સમજે છે તે પોતાના ઘરની અંદર છે. જે વ્યક્તિ દુઃખને બીજાઓ દ્વારા આપવામાં આવેલું સમજે છે, પરકૃત સમજે છે તે પોતાના ઘરની બહાર છે. દુઃખનું મૂળ કારણ છે – આરંભ. બીજો માણસ દુઃખ નથી આપતો, પોતે કરેલો આરંભ જ દુઃખ આપે છે. આજકાલ આરંભનો અર્થ આ પ્રમાણે કરવામાં આવે છે – કામ શરૂ કરવું, પ્રવૃત્તિ કરવી. પરંતુ આરંભ એટલે – જેટલાં હિંસામૂલક કામ છે, ઘરેલું કામ છે તે તમામ આરંભ છે. વ્યક્તિ જ્યારે જ્યારે આરંભ કરે છે, ત્યારે ત્યારે દુઃખને બાંધી લે છે, દુઃખના વિપાકને નિમંત્રણ આપી દે છે. દોષથી ઘેરાયેલા છે આરંભ ગીતામાં પણ કહેવામાં આવ્યું છે કે – સર્વોરંભાઃ હિ દોષણ ધૂમેનાઝિરિવાવૃતાર / જેટલા આરંભ છે, તે તમામ આરંભો દોષથી ઘેરાયેલા છે. આગ લાગી, ધૂમાડો પેદા થયો, દોષ શરૂ થઈ ગયો. જો આગ ન લાગી હોત તો ધૂમાડો પેદા થયો ન હોત. જો આરંભ ન હોત તો દુઃખ પણ ન હોત. દુઃખના સંચયનું કારણ આરંભ છે. આ વાત સમજાઈ જાય તો વ્યક્તિ પોતાના ભીતરમાં પહોંચી જાય. જ્યાં સુધી આવો દૃષ્ટિકોણ - અસ્તિત્વ અને અહિંસા = ૧૭૫ - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy