SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. જેવી રીતે અગ્નિ સૂકા લાકડાને પ્રજાળે છે તેવી જ રીતે શુક્લધ્યાનમાં પહોંચેલો સાધક કર્મોને ભસ્મ કરી મૂકે છે, આદતોને દળી નાંખે છે. શુક્લધ્યાનની ગરમી એટલી બધી તીવ્ર હોય છે કે તેને સહન કરવા માટે ફાયરપ્રૂફ ભઠ્ઠીઓ પણ વ્યર્થ બની જાય છે. આચાર્ય ઉમાસ્વાતિએ લખ્યું છે – શુક્લધ્યાનમાં ચડેલી વ્યક્તિ એવી શક્તિશાળી બની જાય છે કે જો તે ઇચ્છે તો જગતનાં તમામ પ્રાણીઓનાં કર્મોને એકલો જ ખપાવી શકે છે. એવું થતું નથી કારણ કે કોઈ કોઈના કર્મને ક્ષીણ કરી શકતું નથી પરંતુ આ એની ક્ષમતાનું નિદર્શન છે. સંસ્કારોનું દબાણ ભગવાન મહાવીરે મુનિને પ્રેરણા આપી કે તમે આત્મસમાધિમાં જાવ, આત્મામા રહો. આપણે જાણીએ છીએ કે ચૈતન્યમય પદાર્થનું નામ છે આત્મા, પરંતુ મુશ્કેલી એ છે કે આપણે એમાં રહી શકતા નથી. સમાધિતંત્રમાં કહેવામાં આવ્યું કે આપણે એ વાત જાણીએ છીએ કે શરીર અલગ છે અને આત્મા અલગ છે. આપણે એવી ભાવના પણ કરીએ છીએ કે શરીર અને આત્માના ભેદજ્ઞાનની અનુભૂતિ થાય, પરંતુ જૂના સંસ્કારો અત્યંત જટિલ હોય છે. તેમના દબાણથી વ્યક્તિ ભ્રમમાં પડી જાય છે. આત્મસમાધિમાં જવા માટે આ ભ્રાંતિને તોડવી જરૂરી છે. સાઈકોલોજીનો અર્થ પ્રશ્ન છે કે જે જૂના સંસ્કાર છે, જૂની આદતો છે તેમને શી રીતે બદલવાં ? મનોવૈજ્ઞાનિકોએ માનસ ચિકિત્સાનો ક્રમ શરૂ કર્યો, મનની બીમારીઓની ચિકિત્સા કરવાનું શરૂ કર્યું. મનની બીમારીનો ઇલાજ મનોવિજ્ઞાન પાસે છે, પરંતુ એ પ્રશ્નનું સમાધાન મનોવિજ્ઞાન પાસે નથી કે શું મૌલિક મનોવૃત્તિઓ ભૂખ, સંઘર્ષ, કામ (સેક્સ) વગેરેનો પરિષ્કાર કરી શકાય ખરો ? આત્મવિજ્ઞાનની ભૂમિકા ઉપર રહેનારા લોકોએ તેના પરિષ્કારનો માર્ગ શોધ્યો. તેઓ મનની સીમામાં બંધાયેલા નથી. તેમણે મનથી પર બુદ્ધિને સમજવાનો પ્રયત્ન કર્યો, ચિત્તને સમજવાનો પ્રયત્ન કર્યો. તેઓ માઈન્ડ ઉપર જ નથી અટક્યા, સાઈક સુધી પહોંચી ગયા છે. હકીકતમાં સાઈકોલોજીનો અર્થ આત્મવિજ્ઞાન જ થાય છે. એમાં બે શબ્દો પ્રયોજાયેલા છે સાઈક અને લોગસ. સાઈક એટલે આત્મા ચિત્ત. લોગસ એટલે વિજ્ઞાન. જો કે મનોવૈજ્ઞાનિકો અસ્તિત્વ અને અહિંસા ૧૬૫ - — Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy