SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ છે પોતાની જાત સાથેની પ્રીતિ. અસંતોષ પરમ દુઃખ છે અને તે છે બાહ્ય પદાર્થોમાં તૃપ્તિની શોધ. અસંતોષઃ બહિકક્ષા, સંતોષઃ પ્રીતિરાત્મનિ / સંતોષઃ પરમં સૌનું, અસંતોષોડસુખં પરમ્ // સંતોષઃ અંતસ્ની પીડા - ભગવાન મહાવીરે કહ્યું કે બે પ્રકારના માણસો ધર્મનું આચરણ કરી શકતા નથી : એક તો એ કે જે આર્ત છે અને બીજો એ કે જે પ્રમત્ત છે. આર્ત એટલે પીડિત. અસંતોષ પોતાના અંતરની પીડા છે, જેનો આપણે અનુભવ નથી કરી રહ્યા. અસંતોષ એક જ્વાળા છે, એક આગ છે જે પોતાની અંદર જ પ્રજળી રહી છે. તે એક વેદના છે, એક વ્યથા છે, જે પોતાની અંદર જ છે. આર્તનો એક અર્થ છે પીડિત. અભાવગ્રસ્ત એ એનો બીજો અર્થ હોઈ શકે છે. ભીતરમાં જેટલી પીડા અધિક હશે એટલો જ અભાવ પણ અધિક હશે. ભીતરમાં જેટલી પીડા ઓછી હશે એટલો જ અભાવ પણ ઓછો હશે. માનવીમાં અભાવનો ઘડો ક્યારેય ભરાતો નથી. કારણ કે તેની ભીતરની પીડા મિટાવવા માટે જગતના તમામ પદાર્થો પણ પર્યાપ્ત નથી. કોણ કરી શકે છે ધર્મ? પ્રમત્ત વ્યક્તિ પણ ધર્મનું આચરણ કરી શકતી નથી. જે વિલાસી છે, પ્રમાદી અને આળસુ છે, નશાખોર છે, માદક વસ્તુઓનું સેવન કરે છે તે વ્યક્તિ ધર્મનું આચરણ કરી શકતી નથી. જો નશાની આદત એક વખત પડી જાય તો એમાંથી છૂટવાનું મુશ્કેલ બની જાય છે. તે સ્નાયવિક વિકૃતિ બની જાય છે. આપણે હેરોઈન જેવા મોટા નશાની વાત જવા દઈએ, પરંતુ જર્દા ખાવાનો નશો પણ છૂટી શકતો નથી. ભીતરમાં એવી માંગ પેદા થાય છે કે માણસ પોતાને રોકી શકતો નથી. મહાવીરે એ સચ્ચાઈ વ્યક્ત કરતાં કહ્યું કે જેઓ ધર્મનું આચરણ કરતા નથી, પીડા ભોગવી રહ્યા છે તેઓ નિશ્ચિત રૂપે આર્ત અને પ્રમત્ત હશે. આ એક તથ્ય છે – જ્યારે જીવનમાં ધર્મ નહિ હોય ત્યારે વિલાસ વધી જશે અને તેની સાથે સાથે ક્રૂરતા પણ વધી જશે. અસ્તિત્વ અને અહિંસા , ૧૫૯ —— Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005209
Book TitleAstittva ane Ahimsa
Original Sutra AuthorN/A
AuthorMahapragna Acharya, Rohit A Shah
PublisherAnekant Bharati Prakashan
Publication Year2000
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy