SearchBrowseAboutContactDonate
Page Preview
Page 389
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૦ શ્રી આત્મપ્રબોધ " 'मए चत्तारि पुरिसजाया पन्नत्ता तत्थ णं जे से पढमे पुरिसजाए से णं पुरिसे सीलवं असुयवं उबरए अविण्णाय धम्मे एसणं गोयमा ! मए पुरिसे देसागहए पन्नत्ते तत्थ णं जे से दोच्चे पुरिसजाए से गं पुरिसे असीलवं सुतवं अणुवरए विण्णायधम्मे एस णं गोरमा! मए पुरिसे सव्वाहारए पन्नत्ते तत्थ णं जे से चउथ्थे पुरिसजाए से ण पुरिसे असीलवं असुतवं अणुवरए अविण्णायधम्मे एस णं गोयमा ! मए सव्व विराहए पण्णत्ते" ॥ - અહીં પ્રશ્ન કરે છે કે- શ્રી ઠાણાંગમાં જમાલિ પ્રમુખ સાત નિવા કહેલા છે, તેની અંદર તો આ અંતભૂત થતા નથી તો પછી તે જૈનાભાસને નિવપણું કેમ પ્રાપ્ત થઈ શકે? “મનેયારૂ નુ વદ મિસરુ” - ઈત્યાદિ ઉત્તરાધ્યયન સૂત્રના વચનના પ્રમાણથી દિગમ્બરની જેમ તેમને પણ નિહ્નવપણું પ્રાપ્ત થવું યુક્ત જ છે, જે શ્રી સ્થાનાંગસૂત્રમાં તેમનું ગ્રહણ કર્યું નથી ત્યાં એમ સંભવ છે કે- તે સૂત્રને વિષે લધુ નિહ્નવ ગ્રહણ કરેલા છે અને આ તે દિગમ્બરની પેઠે મહાનિદ્ભવ થાય છે, તેથી એ સૂત્રમાં પ્રતિમા ઉથાપક તથા દિગમ્બર- બંનેને ગ્રહણ કરેલા નથી, પરંતુ તત્વ તે કેવલીગમ્ય છે. અથવા બહુશ્રતગમ્ય છે. હવે તે વિષે વિસ્તાર કરવાની જરૂર નથી. આ પ્રકારે સ્થાપનાજિનનું સ્વરૂપ કહેવામાં આવ્યું. ૩. દ્રવ્યજિન સ્વરૂપ - હવે દ્રવ્ય જિનનું સ્વરૂપ કહે છે- જે જીવો તીથકરપણે થશે, તેઓ દ્રવ્યજિન કહેવાય છે. જેમ શ્રેણીક, કૃષ્ણ વગેરે. તેઓ ભવિષ્યકાળને આશ્રીને વંદનિક છે. કારણકે- ભરતચકિએ મરિચિના ભાવમાં શ્રી વિરપ્રભુના જીવને વંદન કર્યું હતું. ૪. ભાવજિન સ્વરૂપ જે સમસ્ત જીવાદિ પદાર્થના સમૂહને યથાસ્થિત પ્રકટ કરનાર કેવલજ્ઞાન પામી સર્વ લેકના નેત્રોને અમંદ આનંદના ઉત્સવને કરનારું છે, જે ઉપમાથી રહિત છે, જે ત્રણ ગઢથી સશભિત એવા સમવસરણના મધ્યભાગે સ્થાપિત થયેલા વિવિધ રત્નોથી જડિત એવા સિંહાસન ઉપર બેસી આઠ મહાપ્રાતિહાય ૧ ગૌતમસ્વામીને શ્રી વિરપ્રભુ ઉત્તર આપે છે કે- ચાર પ્રકારના પુરુષ છે (૧) શીલ અને શ્રુતસંપન્ન (સર્વારાધક), (૨) શીલ અસંપન્ન અને શ્રુતસંપન્ન (દેશવિરાધક), (૩)શીલસંપન અને શ્રુતસંપન્ન (દેશઆરાધક) અને (૪) શીલઅસંપન્ન અને શ્રુતઅસંપન્ન (સર્વવિરાધક.) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy