SearchBrowseAboutContactDonate
Page Preview
Page 347
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૮ શ્રી આત્મપ્રબોધ એક વખતે તે કુબેરસેના સાધ્વીજીએ અવધિજ્ઞાનના બલથી પિતાના ભાઈનું સ્વરૂપ વિલકર્યું. તેવામાં તેણીના જાણવામાં આવ્યું કે પોતાને ભાઈ કુબેરદત્ત મથુરામાં પોતાની માતા સાથે આસક્ત થયો છે, અને તેનાથી એક પુત્ર ઉત્પન્ન થયેલ છે. આ સ્વરૂપ જાણી તેણું કર્મની ગતિને ધિક્કાર આપી પિતાના બંધુને તે અકાયરૂપ મહાપાપમાંથી મુક્ત કરવા અને તેના આત્માને ઉદ્ધાર કરવા મથુરાનગરીમાં આવી. તે નગરીમાં કુબેરસેના વેશ્યાને ઘેર જઈ ધર્મલાભ આશીષ આપી, તેણુએ રહેવા માટે આશ્રય માગ્યો. કુબેરસેનાએ કહ્યું, “હે મહાસતી ! હું વેશ્યા છે તે પણ હમણું એક ભર્તારના સંગથી કુલીન સ્ત્રી બની છે, તેથી તમે સુખે કરી મારા ઘરની નજીક નિરવઘ આશ્રચને ગ્રહણ કરે અને ઉપદેશ આપી અને સદાચારમાં પ્રવર્તાવો. વેશ્યાનાં આ વચનો ઉપરથી કુબેરદત્તા સાધી પિતાના પરિવાર સાથે તે વેશ્યાના ઘરની પાસે વાસ કરીને રહ્યા. વેશ્યા કુબેરસેના દરરોજ તે સાધ્વીની આગળ પિતાના બાળકને આળોટતે મુકતી ત્યારે અવસરના જાણનારા સાવી તે બાળકને આ પ્રમાણે લાવતા હતા. “અરે બાલક ! તું મારો ભાઈ છે, જે તું મારે પુત્ર છે, ૩ મારે દીયર છે, ૪ મારે ભત્રીજો છે, ૫ મારે કાકે છે અને મારે પિત્ર છે. વલી તારે જે પિતા તે–૧ મારે ભાઈ છે, મારે પિતા છે, ૩ મારે દાદો. છે, ૪ મારે ભર્તાર છે, ૫ મારો પુત્ર છે અને ૬ મારે સસરે પણ છે. વલી રે તારી માતા તે ૧ મારી માતા છે, ૨ મારી દાદી છે, કે મારી ભાભી છે, મારી પુત્રવધૂ છે, એ મારી સાસુ છે અને ૬ મારી શોકથ પણ છે. એક વખતે કુબેરદત્ત આ વચન સાંભળી વિસ્મય પામી સાઠવીને આ પ્રમાણે પૂછયું. “સાધ્વીજી ! તમે આવાં અયુક્ત વચન કેમ બેલે છે?” તે વખતે સાઠવીજી બોલ્યા, “ ભાઈ! હું જે બેસું છું તે યુક્ત જ છે, અયુક્ત નથી. સાંભળે. ૧ આ બાળક અને હું એક માતાના છીએ તેથી તે મારે ભાઈ થાય છે, જે તે મારા ભત્તરનો પુત્ર હોવાથી મારે પુત્ર થાય છે, હું તે મારા ભર્તારનો નાનો ભાઈ હોવાથી મારો દિયર થાય છે. ૪ મારા ભાઈનો પુત્ર હોવાથી મારે ભત્રીજે થાય છે, એ મારી માતાના પતિનો ભાઈ હોવાથી મારો કાકે થાય છે અને ૬ મારી શેક્યના પુત્રનો પુત્ર હોવાથી મારે પત્ર થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy