SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતનાં મુખ્ય જૈન તીર્થો જઈને પોતાના બુદ્ધિશાળી, ભાગ્યશાળી અને હોશિયાર પુત્ર સમરને બોલાવી બધી વાત કરી. સમરસિહે પિતાનો આદેશ માથે ચઢાવ્યો. પછી ગુરુમહારાજ પાસે જઈને અભિગ્રહ લીધો કે જ્યાં સુધી આ તીર્થનો ઉદ્ધાર પૂર્ણ ન થાય ત્યાં સુધી (૧) બ્રહ્મચર્યનું પાલન, (૨) નિત્ય એકાસણું, (૩) રોજ પાંચ વિગઈનો ત્યાગ, (૪) ભૂમિ પર શયન - આટલી બાબતો કરવી અને (૫) ખલ્લી, તેલ અને પાણી એમ ત્રણથી સ્નાન કરવું નહિ, શત્રુંજયના ઉદ્ધારની સારા મુહૂર્ત શરૂઆત કરી. ત્રિસંગમપુરથી શિલા મંગાવી. ૮૪ માણસોએ તે શિલા ૬ દિવસમાં ઉપર ચઢાવી. તેમાંથી શ્રી આદીશ્વર ભગવંતની સુંદર મૂર્તિ બનાવી. સંવત ૧૩૭૧ મહા સુદ ૧૪ને સોમવારે પુષ્ય નક્ષત્રમાં આચાર્ય ભગવંત શ્રી સિદ્ધસેનસૂરિજી પાસે પ્રતિષ્ઠા કરાવી. તીર્થના ઉદ્ધારમાં સમરા શાહે ૨૭ લાખ ૭૪ હજાર દ્રવ્યનો વ્યય કર્યો હતો. મુખ્ય મંદિરની બાજુમાં શ્રી અષ્ટાપદજીનું મંદિર તથા વીસ વિહરમાન ભગવંતોનું મંદિર સમરા શાહે બનાવેલું છે. શત્રુંજય પર રાયણ પગલાં પાસે દેરીમાં સમરા શાહ તથા તેમના ધર્મ પત્ની સમરશ્રીની મૂર્તિ છે. (૧) સોળમો ઉદ્ધાર કર્મશાહનો સંવત ૧૫૮૦ ધર્મવીર સમરા શાહના ઉદ્ધાર પછી થોડાં વર્ષો બાદ મુસલમાનોએ શત્રુંજય ગિરિરાજ પર પુનઃ ભયંકર હુમલો કર્યો અને મૂળનાયકજીની પ્રતિમાજી ખંડિત કરી. ઘણાં વર્ષો સુધી આ સ્થિતિ ચાલી અને ખંડિત બિંબ પૂજાયું. આખરે સંવત ૧૫૮૭માં દાનવીર અને ધર્મવીર કર્માશાહે ગિરિરાજ પર મહાન ઉદ્ધાર કર્યો. કર્મા શાહમૂળ વીરભૂમિ ચિતોડગઢના વતની હતા. તેઓ મૂળ પ્રસિદ્ધ જૈન રાજા આમરાજાના વંશજ હતા. તેમના પિતાનું નામ તોલા શાહ, માતાનું નામ લીલુ (લીલાદેવી) હતું. તેમને રત્ન, પોમ, દશરથ, ભોજ અને કર્મ નામના પાંચ પુત્રો હતા. તોલા શાહ તે સમયના મેવાડના પ્રસિદ્ધ મહારાણા સાંગાના મિત્ર હતા. આચાર્ય ભગવંત શ્રી ધર્મરત્નસૂરિજી વિહાર કરતાં કરતાં એક સંઘની સાથે ચિતોડ પધાર્યા. તે વખતે તોલા શાહે પોતાના પુત્ર કર્મા શાહની હાજરીમાં પૂછયું કે મેં જે કાર્ય વિચાર્યું છે તે સફળ થશે કે નહિ, આચાર્ય ભગવંતે પ્રશ્ન જોઈને કહ્યું કે તમારા મનમાં શત્રુંજય ઉદ્ધારનો પ્રશ્ન છે, અને તે કાર્ય તમારા નાના પુત્ર કમ શાહના હાથથી થશે. વળી પ્રતિષ્ઠા અમારા શિષ્ય કરાવશે. થોડા સમય પછી તોલા શાહ તથા આચાર્ય ભગવંત શ્રી ધર્મરત્નસૂરિજી કાળ ધર્મ પામ્યા. પુણ્યયોગે કર્મા શાહની ઉન્નતિ થતી ગઈ. અને થોડાં વર્ષોમાં તે કરોડો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy