SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ ભારતનાં મુખ્ય જૈન તીર્થો શત્રુંજય તીર્થને મહાતીર્થ એટલા માટે કહેવામાં આવે છે કે અનંતા બાત્માઓ આ તીર્થભૂમિ પર શાશ્વત-પદ-મોક્ષને પામ્યા છે. મૃત્યુ ટાણે વિદાય લેતા વિજનને "તમારો સિદ્ધગિરિમાં વાસ હજો." આ કારણથી જ કહે છે કે તમો પણ સિદ્ધગિરિ પર શાશ્વતપદને પામો. દરેક ભવ્ય મનુષ્ય શુભાશુભ કર્મથી મુકત થઈ પોતે મોક્ષપ્રાપ્તિની ભિલાષા રાખે છે, તેનું સાધન માત્ર ધર્મ જ છે. ધર્મની સાધના કરવાના પ્રકાર ઘણા . તીર્થભૂમિની યાત્રા પણ શુભાશુભ ધર્મનું નિમિત્ત છે. જે ભૂમિના સ્પર્શથી, નથી અને ત્યાં સ્થાપિત થયેલ તીર્થનાથની પૂજા વગેરેથી મનુષ્ય સંસારસમુદ્રનો રિ પામે તે ભૂમિ તીર્થભૂમિ કહેવાય છે. અતીતકાળમાં શ્રી ઋષભદેવ વગેરે અસંખ્ય રર્થકરોએ આ ગિરિરાજ ઉપર પધારી અનેક જીવોનો ઉદ્ધાર કરેલો છે. વર્તમાન ચોવીસીના શ્રી નેમિનાથ ભગવાન સિવાયના ત્રેવીસ તીર્થકર ગવંતોએ શત્રુંજય પર પધારીને વિશ્વને ધર્મસંદેશ આપ્યો હતો. શ્રી નેમિનાથ ભગવાન ગૃહસ્થપણામાં ઈન્દ્ર મહારાજા સાથે ઈન્દ્ર રચેલા વિમાનમાં દેવોની સાથે બેસીને શ્રી શત્રુંજય ગિરિરાજ પર પધાર્યા હતા. અને ત્યાં પીગિરિરાજનો મહિમા વર્ણવ્યો હતો. એટલે આ ગિરિચોવીશે તીર્થકરોના ચરણરજ ડે પવિત્ર છે. (શ્રી શત્રુંજય ગિરિરાજ દર્શન પાને-૧૧). પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન પૂર્વ નવ્વાણું (એટલે કે ૬૮૫૪૪0000000000) વાર રાયણ વૃક્ષ નીચે સમવસર્યા છે. શ્રી અજિતનાથ ગવાન તથા શ્રી શાંતિનાથ ભગવાને ત્યાં ભાડવાના ડુંગરે) ચાતુર્માસ કરેલા છે. દમ તીર્થકર ભગવાનના ગણધર મહારાજ શ્રી પુંડરીક સ્વામીએ આ તીર્થનો ડેમા વધારેલો છે. અને તેઓ ત્યાં પાંચ ક્રોડ મુનિઓ સાથે અનશન કરી, ચૈત્ર સુદ મિના દિવસે સિદ્ધિપદને પામ્યા છે. તેથી આ ગિરિ પુંડરીકગિરિના નામથી પણ ળખાય છે. આવતી ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી પદ્મનાભ (શ્રેણિક મહારાજા) રે અસંખ્ય તીર્થકરો આ ગિરિરાજ પર પધારશે. શાસ્ત્રોમાં પરમતારક મહાપુરુષોએ ફરમાવ્યું છે કે શ્રી નવકાર મહામંત્ર છે કોઈ અન્ય મંત્ર નથી, શ્રી પર્યુષણ મહાપર્વ જેવું કોઈ અન્ય પર્વશિરોમણિ પર્વ |, શ્રી કલ્પસૂત્ર જેવું કોઈ અન્ય પ્રભાવશાળી શાસ્ત્ર નથી અને તીર્થાધિરાજ ત્રુંજય જેવું કલ્યાણકારી અન્ય કોઈ પરમતારક તીર્થ નથી. શત્રુંજય સમાન તીર્થ, આદિનાથ જેવા દેવ અને જીવરક્ષા જેવો ધર્મ, એ | શ્રેષ્ઠ ત્રણ લોકમાં કોઈ નથી. શ્રી સીમંધરસ્વામી ભગવાને પણ કહ્યું છે કે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy