SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૨૯૯ ગુણીયાજી તીર્થ ૩ કિલોમીટર દૂર છે. જ્યારે પાવાપુરીથી ૨૦ કિલોમીટર દૂર છે. ગુણશીલ વન હતું તેના ઉપરથી ગુણીયાજી નામ પડ્યું છે. ભગવાન મહાવીરે અહી સેંકડો લોકોને-ભાવુકોને ગૃહસ્થ ધર્મ અને શ્રમણ ધર્મની દીક્ષા આપી મુકિતનો રાહ બતાવ્યો હતો. ગુરુ ગૌતમસ્વામીને ભગવાન શ્રી મહાવીર સ્વામી ઉપર ખુબ રાગ હતો. જેથી તેમને કેવળજ્ઞાન થતું નહોતું. ભગવાને નિર્વાણના આગલા દિવસે ગૌતમ સ્વામીને દેવશર્મા નામના બ્રાહ્મણને પ્રતિબોધ કરવા મોકલ્યા. પ્રતિબોધ કરી પાછા વળતાં ગૌતમ સ્વામીએ ભગવાનના નિર્વાણના સમાચાર સાંભળ્યા. વજઘાત થયો, શોકાતુર બની ગયા. ચોધાર આંસુએ નાના બાળ કની માફક વીર વીર કહી આદ રૂદન કરવા લાગ્યા. મોહનાં પડલ એકાએક ખસી ગયાં. ત્યાં જ એમને સાચો જ્ઞાન પ્રકાશ લાધ્યો, અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. કારતક સુદ-૧ નો એ પવિત્ર દિવસ હતો. સરોવર વચ્ચે જળમંદિર છે. જે જોતા પાવાપુરી જળમંદિરની યાદ આવે છે. સરોવરની વચ્ચે મંદિર છે, જેમાં મૂળનાયક શ્રી મહાવીરસ્વામી ભગવાનની મૂર્તિ છે. બાજુમાં ભગવાન મહાવીર સ્વામી તથા ગૌતમ સ્વામીની ચરણપાદુકાઓ છે. ચારે ખૂણામાં દેરીઓ છે. જેમાં : દેરી (૧) ૨૦ તીર્થકરોની શ્યામ ચરણપાદુકાઓ છે. ” (૨) શ્રી નેમિનાથ ભગવાનની ચરણપાદુકા છે. ” (૩) શ્રી ઋષભદેવ ભગવાનની ચરણપાદુકા છે. (૪) શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનની ચરણપાદુકા છે. શ્રી ગૌતમ સ્વામીની ૩૦ સે.મી. ની પદ્માસનસ્થ શ્વેતવર્ણ મૂર્તિ છે. ધર્મશાળામાં પ્રવેશ કરીને જ મંદિરમાં જવાનો રસ્તો છે. કિયુલ સ્ટેશનથી ૧૮ કિ.મી. અને જમુઈથી લગભગ ૧૯ કિ.મી. દૂર શ્રી કાકલ્દી તીર્થ આવેલું છે. મુંગેર જિલ્લાનું આ ગામ છે. નવમા તીર્થંકર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy