SearchBrowseAboutContactDonate
Page Preview
Page 309
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૬ શ્રી અલ્હાબાદ તીર્થ અચળલાતાની આ જન્મભૂમિ છે. મહાચમત્કારિક શાસન પ્રભાવક સિદ્ધપુરૂષ શ્રી પાદલિપ્તસૂરિશ્વરજી મહારાજ કે જેઓ આકાશગામી વિદ્યાના આધારે નિત્ય શ્રી શંત્રુજ્ય મહાતીર્થ તથા શ્રી સમેતશિખરજી મહાતીર્થની તીર્થનંદના કરીને જ આહાર વાપરતાં હતાં અને જેમના સેવક ભકત નાગાર્જુન યોગીએ જેમના નામ સ્મરણ માટે શત્રુંજ્યની તળેટીમાં "પાદલિપ્તપુર” નામનું નગર વસાવ્યું. જે હાલ પાલીતાણા નામે પ્રસિદ્ધ છે એવા શ્રી પાદલિપ્તસૂરિશ્વરજીનો જન્મ અયોધ્યામાં થયો હતો. ફૈઝાબાદ સ્ટેશનથી ૧૦ કિલોમીટર દૂર અયોધ્યા છે. અયોધ્યા સરયૂ નદીના કિનારે આવેલ છે. કટારા મહોલ્લામાં ગઢની અંદર શ્રી અજીતનાથ ભગવાનનું દેરાસર છે, જેમાં મૂળનાયક શ્રી અજીતનાથ ભગવાનની તામ્રવર્ણી પદ્માસનસ્થ ૩૦ સે.મી. ની મૂર્તિ છે. પાંચે પ્રભુના કલ્યાણકોની દેરીઓ છે. શ્રી અજીતનાથ ભગવાનનું સુંદર સમવસરણ છે. રાયગંજ મહોલ્લામાં શ્રી દિગંબર મંદિર છે, જેમાં શ્રીષભદેવ ભગવાનની ૮૮૫ સે.મી.ની કાર્યોત્સર્ગ, શ્વેતવર્ણ મૂર્તિ છે. આ નગરીમાં પ્રાચીન નામો ઈક્વાકુભૂમિ, કોશલ, કૌશલા, વિનીતા, અયોધ્યા, અવધ્યા, રામપુરી અને સાકેતપુરી આદિ નામો હતા. હિન્દુસ્થળોમાં રામજન્મભૂમિ, હનુમાનગઢી, કનકભવન, રત્નસિંહાસન, નાગેશ્વર શિવમંદિર, દર્શનેશ્વર શિવમંદિર છે. શહેરમાં ૬૩ વૈષ્ણવ મંદિરો તથા ૩૩ શિવમંદિરો છે. કોમી એપિતાલ તીર્થ નથી અપભદેવ ભગવાનના આગ્રાથી ૪૩૩ કિ.મી. દૂર છે. આજે અલ્હાબાદ નામથી ઓળખાતું શહેર મધ્યકાળમાં પ્રયાગ નામથી પ્રસિદ્ધ હતું. રામાયણ, મહાભારતમાં પ્રયાગનું સુંદર વર્ણન કરેલું છે. અહી ગંગા, યમુના અને સરસ્વતી નદીઓનો સંગમ હોવાથી એને ત્રિવેણી સંગમ કહે છે. કવિ કાલિદાસે રઘુવંશ'માં ત્રિવેણી સંગમનું ચિત્રાત્મક હૃદયંગમ વર્ણન કર્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy