SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૮ શ્રી મથુરા તીર્થ એટલે પુત્રનું નામ “અરિષ્ટનેમિ' રાખ્યું. જૂના સમયમાં આ એક વિરાટનગરી હતી. ભગવાન મહાવીર પણ અત્રે પધાર્યા હતા. અત્રે અનેક મુનિ ભગવંતો કેવળજ્ઞાન તથા નિર્વાણ પામ્યા છે. સંવત ૧૬૬૨માં અત્રે ૭ દેરાસરો હતા. જંગલનો રસ્તો હોવાથી દિવસના સમયે આગ્રાથી જઈ પાછા આવવું. દિલ્હીથી ૧૪૫ કિ.મી. અને આગ્રાથી પ૪ કિ.મી. દૂર છે. યમુના નદીના કિનારે વસેલું વૈષ્ણવોનું યાત્રાધામ છે. શ્રીકૃષ્ણ ભગવાનનો જન્મ અહી કેદખાનામાં થયો હતો. રાજા શ્રી રામના ભાઈ શત્રુને મથુરાની સ્થાપના કરી હતી. સાતમા તીર્થકર શ્રી સુપાર્શ્વનાથ ભગવાનના શાસનકાળથી મથુરા તીર્થરૂપ બન્યું હતું. મહાપ્રભાવિક શ્રી બપ્પભટ્ટસૂરિજીએ આ તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. જગદ્ગુરુ શ્રી હીરવિજયસૂરીશ્વરજી મ.સા. મથુરામાં પધાર્યા ત્યારે પ૨૭ સ્તુપો અને અનેક જિનમંદિરોનાં દર્શન-વંદન કર્યા હતા. ઔરંગઝેબના સમયમાં મંદિરોનો નાશ થયો તથા મૂર્તિઓ ખંડિત થઈ. ઓગણીસમી સદીમાં ખોદકામ કરતાં જૈનમંદિરોના અવશેષો તથા ૬૦૦ થી ૭૦૦ જૈનમૂર્તિઓ નીકળી હતી. જે લખનૌમાં કેસરબાગ મ્યુઝિયમમાં રાખી છે. ભગવાન મહાવીરના બીજા પટ્ટઘર અંતિમ કેવલી શ્રી જંબૂસ્વામીજી તપશ્ચર્યા કરતાં અહીંના જમ્બુવનમાં મોક્ષે સિધાવ્યા હતા. શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી મહાવીરસ્વામી ભગવાને અહીં પધારીને ભૂમિ પાવન કરી હતી. યાદવવંશી શ્રી ઉગ્રસેનની આ રાજધાની હતી. સતી રાજુલમતીની આ જન્મભૂમિ છે. મથુરા સ્ટેશનથી ૪ કિ.મી. દૂર મંદિર આવેલું છે. અહીં મંદિરમાં અંતિમ કેવલી શ્રી જંબુસ્વામીજીની ૩૦ સે.મી.ની ચરણપાદુકાઓ છે. ઉતરવા માટે વિશાલ સુંદર ધર્મશાળા છે. મથુરા પાસે જ વૃન્દાવન ગોકુલ છે. મથુરામાં મ્યુઝીયમ જોવાલાયક છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy