SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો દિલ્હી. ભારતની રાજધાનીનું આ નગર ભારતમાં સર્વોત્તમ, પ્રાચીન અને ઐતિહાસિક નગરોમાંનું એક છે. દિલ્હી અને નવી દિલ્હી એમ બે વિભાગમાં વહેંચાયેલું છે. રાજવૈભવ, કળાકૌશલ, વિદ્યાબુદ્ધિ, ધન-દૌલત વગેરેમાં આગળ પડતું શહેર છે. પાંડવોએ અહીં તેમની રાજધાની વસાવીને નગરને ઇન્દ્રપ્રસ્થ નામ આપ્યું હતું. અનંગપાલે અહીં લોકસ્તંભ ઉભો કરી પોતાનાં વંશની રાજગાદી કાયમ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મહારાજા પૃથ્વીરાજે પૃથ્વીલાટ બનાવી. બાદશાહ શાહજહાંએ આનું નામ શાહજહાંબાદ રાખ્યું, પણ દિલ્હી નામ અમર રહ્યું અંગ્રેજોએ પોતાના શાસનકાળમાં પ્રથમ રાજધાની કલકત્તામાં સ્થાપી. પછી પંચમ જ્યોર્જે ૧૨મી ડિસેમ્બર સને ૧૯૧૧માં દિલ્હીને રાજધાની બનાવી. ૧૫મી ઓગસ્ટ ૧૯૪૭ના દિવસે આજ નગર સ્વતંત્ર ભારતની રાજધાની બન્યું. અમદાવાદથી દિલ્હી ૧૦૭૬ કિલોમીટર દૂર છે. ૨૫૯ અહીં ૭ જૈન મંદિરો આવેલાં છે. (૧) કિનારી બજારમાં નવઘરા મહોલ્લામાં શહેરનું સૌથી મોટું શિખરબંધી શ્રી સુમતિનાથ ભગવાનનું સુંદરમંદિર આવેલું છે જેમાં શ્રી વાસુપૂજ્યસ્વામી ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી સુપાર્શ્વનાથ ભગવાન, શ્રી ગૌતમસ્વામી, શ્રી ચક્રેશ્વરીમાતાની મૂર્તિ તથા દાદાજીની પાદુકાઓ આવેલી છે. બીજા ખંડના ગોખલામાં શ્રી મહાવીરસ્વામી ભગવાન, સ્ફટિકની ૯ મૂર્તિ, શ્યામ-૨, શ્વેત-૨, પગલાં જોડી-૧ તથા અષ્ટાપદજીનું ચિત્ર છે. ત્રીજા ખંડમાં શ્યામવર્ણી શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા તથા બંને તરફ દાદાજીની છબીઓ છે. ચોથા ખંડમાં ત્રણ જોડી પગલાં છે. ઉપરના ભાગમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ચૌમુખ પ્રતિમાઓ છે. રંગમંડપમાં ફળ-ફૂલ, વેલ-બૂટા તેમજ કથા-ચિત્રો આલેખ્યાં છે. આરસના સ્તંભો ઉપર કમળ પાંખડીઓનું આલેખન શોભી રહ્યું છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy