SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ • શ્રી રાણકપુર તીર્થ પહેરી ચોથું બ્રહ્મચર્યવ્રત ઉચ્ચર્યુહતું. સંસારમાં રહેવા છતાં ભોગોની આસકિત છોડી દેવી તે ત્યાગીઓ કરતાં પણ વધારે સંયમ માંગી લે છે. દાનપુણ્ય અને તીર્થયાત્રાના અનેક ધાર્મિક કાર્યો કરતાં ધરણાશાહને એક "નલિની ગુલ્મ વિમાન” જેવાદેવપ્રાસાદની રચના કરવાની સ્વપ્નદ્વારા પ્રેરણા તથા દર્શન થયા. ધરણાશાહે જગ્યા પસંદ કરી અને કુંભારાણા પાસેથી જમીન ખરીદી લીધી. અને એ ભૂમિ પર સંવત ૧૪૩૪માં ગામ વસાવી કુંભારાણાના નામ ઉપરથી તેનું 'રાણકપુર' એવું નામ આપ્યું. ચતુર્મુખપ્રાસાદ જેવી માંગણીવાળું મંદિર બંધાવવાનો સંકલ્પ કરી ગામે-ગામના શિલ્પીઓને એકઠા કર્યા. છેવટેમુંડારગામના રહેવાસી દેપા નામના શિલ્પીએ બનાવેલો નકશો પસંદ આવતાં તરતજ મંદિરનો પાયો નાંખવામાં આવ્યો. પાયાના મુહર્ત વખતે શિલ્પી દેપાએ ધરણાશાહની ઉદારતાની કસોટી કરવા ઉચી અને કિંમતી વસ્તુઓ ભૂમિપૂજન માટે મંગાવી. ધરણાશાહે સાત પ્રકારની ધાતુઓ, કસ્તૂરી અને બહુમૂલ્ય વસ્તુઓ મંગાવી ભાવ-ભકિતથી ભૂમિપૂજન કર્યું. શિલ્પી, કારીગરો, મજારોને ભેટસોગાદ આપી ખુશ કર્યા. સંવતઃ ૧૪૪૬માં આ મંદિરનો પાયો નંખાયો. અને સંવતઃ ૧૪૯૬ ફાગણ વદ-૧૦ના રોજ આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના હાથે આ મંદિરની પ્રતિષ્ઠા કરાવવામાં આવી. એટલે પચાસ વર્ષ સુધી કામ ચાલ્યું. મંદિરની વિશાળતા અને કારીગરી જોતા તેમ બનવું સ્વાભાવિક લાગે છે. ૪૮૦૦૦ ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલા અને ૨૪ ફૂટની જગતીની ઊભણી સહિત કળશની ટોચ સુધીમાં ૧૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતા આ મંદિર કલા-કારીગરીની પરકાષ્ઠા તેના મેઘનાદ મંડપોનાસ્તંભો અને ઘુમટના થરો, તેની પધ્ધશિલાઓ તથા વેદિકાઓ અને કક્ષાસનોમાં રહેલી છે. કલાની દ્રષ્ટિએ આ વિભાગ સૌથી સારો છે. ધરણાશાહની ભાવના મંદિરના સાત માળ બંધાવવાની હતી, જેથી મંદિરનો પાયોસાત માથોડાં ઉડો ખોદવામાં આવ્યો હતો. પરંતુ તેમને યમરાજાનો કાળઘંટ સંભળાવા લાગ્યો. જેથી ત્રણ માળ પૂરા કરાવી સંવતઃ ૧૪૯૬માં આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા.ના હાથે ફાગણ વદ- ૧૦ ના રોજ ઘણી ધામધુમથી પ્રતિષ્ઠા કરાવી. આ માંગલીક પ્રસંગે ગામે-ગામથી સંઘો તથા આચાર્ય ભગવંતો પોતાના પરિવાર સાથે પધાર્યા હતા. આચાર્ય દેવ શ્રી સોમસુંદરસૂરિ મ.સા. ને ૫૦૦ સાધુઓનો પરિવાર હતો. કહેવાય છે કે આ મંદિર બાંધવામાં ધરણાશાહે ૧૫ કરોડ રૂપિયા વાપર્યા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy