SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૩ ભારતના મુખ્ય જૈન તીર્થો સિહસેન વગેરે ૧૦૨ તેમના ગણધરો હતા. શ્રી અજીતનાથ ભગવાને શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર પધારીને ભાડવાના ડુંગર ઉપર ચાતુર્માસ કર્યું હતું. શ્રી અજીતનાથ ભગવાન એક હજાર મુનિવરો સાથે એક મહિનાના ઉપવાસ કરી કાઉસગ્ગ મુદ્રામાં અનશન કરી ચૈત્ર સુદ - ૫ ને દિવસે શ્રી સમેતશિખરજી પહાડ ઉપર મોક્ષે ગયા હતા. ચાલો આપણે તારંગા તીર્થની યાત્રા કરીએ. પહાડ ઉપર ચઢતાં પ્રથમ જુનો દરવાજો આવે છે. ઉપર જતાં મુખ્ય દેરાસરનાં શિખરનાં દર્શન થાય છે. મુખ્ય મંદિરની સામેના દરવાજેથી પેસતાં જમણે હાથે - શ્રી અજીતનાથ ભગવાનનાં તથા વીસ વિહરમાન ભગવાનનાં પગલાં આવે છે. ડાબા હાથે - (૧) મુખ્ય પ્રવેશ દ્વારની ડાબી બાજુમાં પેસતા પ્રથમ શ્રી ચૌમુખજીનું મંદિર આવે છે. જેમાં ચાર પીળા રંગની ચૌમુખ પ્રતિમાઓ છે. (૨) સમવસરણ, અાપદ, સમેતશિખરજી ૧૪પર ગણધરનાં પગલાં, રાવણ - મંદોદરી ભકિતના દ્રશ્યો, વાસ સ્થાનક યંત્ર, નવપદજીનું મંડલ, લોભીયા, મધુબિન્દુ, કલ્પવૃક્ષ, ચૌદ રાજલોક લોક પુરૂષ વગેરે ઉપદેશક તથા બોધક દ્રશ્યો છે. (૩) જંબૂદ્વીપ આદિ સાત સમુદ્રો, નંદીશ્વર દ્વીપ, બાવન જિનાલયો – તથા અષ્ટાદ્વીપ પટ્ટ છે. મૂખ્ય મંદિરની પાછળના ભાગમાં ચોકમાં શ્રી કુંથુનાથ, શ્રી સુમતીનાથ, શ્રી શીતલનાથ ભગવાનનાં દેરાસરો છે. ઉચે પાછળના ભાગમાં દિગંબર દેરાસરો તથા ધર્મશાળા છે. મૂખ્ય દેરાસરના બહાર ઓટલા ઉપર જમણા હાથે શ્રી પદ્માવતી દેવી ગોખલામાં છે જ્યારે ડાબા હાથે મહારાજા કુમારપાળ ઘોડા ઉપર બેસીને ભગવાનના દર્શન કરવા જાય છે. તેવી મૂર્તિ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy