SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૧૭૩ શ્રી નાનાપોશીના તીર્થ શ્રી નાનાપોશીના હિંમતનગર થઈને જવાય છે. પણ રસ્તો સારો નથી જેથી ઇડર થઈને જવું સારુ. ૧૨૦૦ વર્ષ પૂર્વે કંથરના ઝાડ નીચેથી શ્રી પાર્શ્વનાથ ભગવાન નીકળ્યા હતા. પ્રતિમાજી પ્રાચીનને સંપ્રતિ મહારાજના સમયના છે. તીર્થ ઘણું રમણીય છે. ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે. શ્રી ટીટીઈ તીર્થ - શ્રી મહરિપાર્શ્વનાથ ભગવાન અમદાવાદથી ઈડર થઈને પગરસ્તે શ્રી કેશરીયાજી તીર્થ જતાં આ તીર્થ આવે છે. ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના મોડાસા તાલુકામાં મોડાસા શામળાજી રોડ ઉપર મોડાસાથી ૧૮ કિલોમીટર દૂર તથા શામળાજીથી ૧૧ કિલોમીટર દૂર ટીટોઈ ગામ આવેલું છે. નગરની મધ્યમાં આવેલ આ દેરાસરના ૨૧ પગથિયા છે. ત્રણ શિખરો - પાંચ રંગમંડપો બે દેવકુલિકાઓથી આ વિશાલ જિનાલય શોભી રહ્યું છે. મૂળ નાયક શ્રી મુહરિ-પાર્શ્વનાથ ભગવાનની પ્રગટ પ્રભાવી - ચમત્કારી - પ્રાચીન દેદીપ્યમાન ૩૩ ઇચના પ્રતિમાજી છે. શ્રી કલ્યાણી પાર્શ્વનાથ ભગવાન તથા શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાન પણ બિરાજમાન છે. શ્રી જગચિંતામણી ચૈત્યવંદનમાં ગુરૂગૌતમસ્વામીએ આ શ્રી મુહરિપાર્શ્વનાથ ભગવાનની સ્તવના કરી છે. ટીટોઈ ગામમાં ઉપાશ્રય તથા જ્ઞાનભંડાર છે. યાત્રા કરવા જેવું આ સ્થાન છે. શ્રી મોટા પોશીના તીર્થ, કુંભારીયાજીથી ૧૮ કિલોમીટર પહેલાં જમણા હાથે અંદર ૧૨ કિલોમીટર જતાં આ તીર્થ આવે છે. ખેડબ્રહ્માથી શ્રી કુંભારીયાજી તીર્થ જતાં વચ્ચે આ પ્રાચીન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy