SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી કલિકુંડ તીર્થ - ધોળકા * અમદાવાદથી ૨૬ કિલોમીટર દૂર આવેલા આ તીર્થનો મહિમા ખૂબ વધી રહ્યો છે. ધર્મશાળાના વિશાળ પટાંગણ વચ્ચે આ ભવ્ય જિનાલયદેવવિમાનની જેમ શોભી રહ્યું છે. મૂળનાયક શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનની ૨૨૦૦ વર્ષ પ્રાચીન ૩૫ ઈંચ ઊંચી શ્વેતવર્ણ પદ્માસનસ્થ પ્રતિમાજી ૨૯ ઈંચ પહોળા પરિકર વચ્ચે બિરાજમાન છે. આ તીર્થની પ્રતિષ્ઠા સંવત ૨૦૩૮ ફાગણ સુદ-૩ ના રોજ હજારો ભાવુકોની હાજરીમાં પ.પૂ. આચાર્યદેવ શ્રી કનકપ્રભસૂરી મ.સા. ના હસ્તે થઈ હતી. ૨૪ દેવકુલિકાઓ છે, જેમાં શ્રી આદીશ્વર ભગવાન તથા શ્રી શીતલનાથ ભગવાનની પ્રાચીન પ્રતિમાજીઓ છે. આ તીર્થ પ.પૂ. આચાર્યદેવ શ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી બન્યું છે. ધોળકાનું પ્રાચીન નામ ધવલકપુર હતું. ધોળકા પૂર્વ કાળમાં સમૃદ્ધિની ટોચ પર હતું. ધોળકા પૂર્વે અનેક મંદિરોથી શોભતું હતું. ધોળકા એ મહાભારત કાળનુંવિરાટનગર હતું. પાંડવો ગુખાવેશમાં આ નગરમાં રહ્યા હતા. તેના કેટલાક જૂના અવશેષો જોવા મળે છે. હાલમાં અહીં ત્રણ દેરાસરો છે. ખરતરગચ્છના મહાન આચાર્ય શ્રી જિનદત્તસૂરી નો જન્મ સંવત ૧૧૩ર માં ધોળકામાં થયો હતો. સંવત ૧૧૪૧ માં શ્રી ધર્મદિવઉપાધ્યાય હસ્તે તેમણે દીક્ષા લીધી હતી. કલિકુંડ દેરાસરની સામે દાદાવાડી છે. સંવત ૧૨૭૬ માં વિરધવળ રાજાએ શ્રી વસ્તુપાલ – તેજપાલને પોતાના મંત્રીઓ નીમ્યા, તેથી આ મહામાત્ય બંધુ બેલડીની કર્મભૂમિ બનેલું ધોળકા જૈન પ્રવૃત્તિઓનું મહત્ત્વનું કેન્દ્ર બન્યું હતું. ધોળકામાં અનેક ગ્રંથો લખાયા હતા તથા પ્રસિદ્ધ થયા હતા. મંત્રી વસ્તુપાલે અહીં શ્રી આદીશ્વર ભગવાનનું દેરાસર તથા બે ઉપાશ્રયો બંધાવ્યા હતા. શ્રી ઉદયન મંત્રીના પુત્ર વાલ્મટ મંત્રીએ ઉદયન વિહાર' નામનું ભવ્ય દેરાસર ધોળકામાં બંધાવ્યું હતું તેમાં શ્રી સીમંધરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા કરાવી હતી. માંડવગઢના મહામંત્રી શ્રી પેથડે ચૌદમા સૈકામાં અહીં મંદિર બંધાવ્યું હતું. કલિકુંડ તીર્થમાં ધર્મશાળાઓ, ઉપાશ્રય તથા ભોજનશાળાની સગવડ છે. શ્રી કલિકુંડ પાર્શ્વનાથ ભગવાનના દેરાસરની પાસે એક લાખ ચોરસ ફૂટ જમીન ઉપર સ્થાપના તીર્થ - શ્રી શત્રુંજય તીર્થ ૪૫ ફૂટ ઊંચા ગિરિરાજ ઉપર ૨૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy