SearchBrowseAboutContactDonate
Page Preview
Page 251
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ મહાવીરસ્વામીને અંતિમ ઉપદેશ સમાધિની કામનાવાળા તપસ્વી ભિક્ષુએ દોષરહિત અને પ્રમાણસર આહાર ઈચ્છવો; તત્ત્વજ્ઞાનમાં પહોંચવાળો સાથી શોધવો; અને એકાંત રહેઠાણ મેળવવું. પિતાનાથી ગુણમાં અધિક કે સમાન એવો નિપુણ સાથી ન મળે, તો પિતે એકલા જ નિષ્પા૫પણે અને ઇંદ્રિયસુખમાં અનાસક્તપણે વિચરવું. [૪-૫] જેમ બગલી ઈંડામાંથી પેદા થાય છે; અને ઈડું બગલીમાંથી પેદા થાય છે, તેમ મેહનું ઉત્પત્તિસ્થાન તૃષ્ણ છે, અને તૃષ્ણાનું ઉત્પત્તિસ્થાન મેહ છે. રાગ અને દ્વેષ એ કર્મનાં બીજ છે; અને તેનું ઉત્પત્તિસ્થાન મેહ છે. કર્મ જ જન્મમરણનું મૂળ છે; અને જન્મમરણ એ જ દુઃખ છે. જેને મેહ નથી, તેનું દુઃખ ગયું; જેને તૃણું નથી, તેનો મેહ ગયો; જેનામાં લોભ નથી, તેની તૃષ્ણ ગઈ; અને જેને લોભ નથી, તેને કાંઈ નથી. [૬-૮]. એ રાગ, દ્વેષ અને મોહને નિર્મૂળ કરવાના ઉપાયો આ પ્રમાણે છે : ૧. દૂધ, દહીં વગેરે દીપ્તિકર રસો યથેચ્છ ન સેવવા; કેમકે, જેમ સ્વાદુ ફળવાળા વૃક્ષ તરફ પક્ષીઓ ટોળાબંધ ૧. “જ્ઞાન, દર્શન અને ચારિત્ર રૂપી”.-ટીકા. ૨. મૂળ, “નિપુણુર્થ. “–જવાદિ ત.-રીકા. ૩. જેને કાંઈ નથી તેને લોભ નથી” – એવો અર્થ પણ લેવાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy