SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ જવાબ ૨૮મા અધ્યયનમાં સૂચવવામાં આવ્યા છે. તેમાં (પા. ૧૬૪) સાચી શ્રદ્ધા અથવા દર્શન ઉત્પન્ન થવાનાં દશ કારણે ગણાવતાં જણાવ્યું છે કે, અનાદિકાળના સંસારપ્રવાહમાં તરેહતરેહનાં દુઃખોનો અનુભવ કરતાં કરતાં કોઈ ગ્ય આત્મામાં કોઈક વાર એવી ચિત્તશુદ્ધિ થઈ જાય છે કે, એ આત્માને તાત્વિક પક્ષપાતની બાધક રાગદ્વેષની તીવ્રતા મટી જતાં સત્ય માટેની જાગરૂકતા પ્રાપ્ત થાય છે. એવા આત્માને પછી કાઈના ઉપદેશ વિના પિતાની સાહજિક બુદ્ધિથી જ “અમુક સિદ્ધાંત સત્ય છે, એ એમ જ છે’ એવી શ્રદ્ધા અથવા રુચિ ઉત્પન્ન થાય છે. બીજા કેટલાક લોકોને કોઈ પ્રત્યક્ષ સાધક કે સંતના ઉપદેશથી તે સિદ્ધાંતમાં શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. બીજ કેઈને તે સિદ્ધાંતના ગ્રંથાના અભ્યાસથી તેમાં શ્રદ્ધા થાય છે; અથવા કોઈને તે સિદ્ધાંતમાં કહેલી ક્રિયાઓ આચરતાં કાંઈક ખાતરી કે લાભ થવાથી તેમાં શ્રદ્ધા થાય છે. એટલે કે એ શ્રદ્ધા થવામાં કોઈ અમુક ખાસ કારણ નથી હોતું; પરંતુ કોઈ પણ કારણથી નીપજેલો અંધશ્રદ્ધાનો ત્યાગ, રાગદ્વેષનો અભાવ અને સત્ય માટેની જાગરૂકતા, એ જ મુખ્ય કારણભૂત હોય છે; અને એ જ યથાર્થ પણ છે. - જ્યાં સુધી કોઈ પણ સિદ્ધાંતમાં તીવ્ર શ્રદ્ધા ઉત્પન્ન ન થાય ત્યાં સુધી તે સિદ્ધાંતનું માત્ર જ્ઞાન કાંઈ ઉપાગી થતું નથી. તેથી ઉત્તરાધ્યયનમાં તેને માટે સસંગરૂપી ઉપાય ઉપર બહુ ભાર મૂક્યો છે. સંતના સહવાસમાં જ માણસમાં જોઈતી ચિત્તશુદ્ધિ અને સત્ય માટેની જાગરૂકતા ઉત્પન્ન થાય છે. પરંતુ તેમના સહવાસમાં રહેવાનું મળે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005193
Book TitleMahavirswamino Antim Updesh
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year1938
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy