SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીઅંતરીક્ષ પાર્શ્વનાથ ૨૨૫ પછી અન્ય ક્ષુદ્ર જી ભગવંતની આશાતના કરશે એવા ભય થકી ખરદુષણ રાજાએ પોતે ભગવંતની પ્રતિમાને ઉપાડીને નજીકના જળાશયમાં પધરાવી. ત્યાં ક્ષેત્ર દેવતાના પ્રભાવથી વામય બની ગઈ, ને હમેશ તે તેની પૂજા કરવા લાગ્યો. પછી રાજા ભોજનકાર્ય સમાપ્ત કરી ત્યાંથી રવાને થઈ પિતાના સ્વામીનું કાર્ય કરી પાતાલ લંકામાં ચાલ્યા ગયે. મહાભૂજ રાવણના રાજ્યત્વ કાળમાં જ શ્રીમંદીરસ્વામી પ્રમુખ વિશ તીર્થકરને દીક્ષા મહોત્સવ થએલે છે. | ગઈ વાતને આજે લાખો વરસ (અંદાજે સાત લાખ) વહી ગયાં છે. ચાલુ હકીકતને સમય તે વિક્રમ સંવત બારમા સિકાને છે. પૂર્વના સમયમાં જ્યારે વીશમાં મુનિસુવ્રત સ્વામીનું શાસન હતું તે પછી નમોનાથ એકવીશમા તીર્થકર દશ હજાર વર્ષના આયુષ્યવાળા થયા, તેમનું શાસન પાંચ લાખ વરસ ચાલ્યું. તે પછી બાવીશમાં નેમનાથ ભગવાન એક હજાર વર્ષના આયુષ્ય થયા, તેમનું શાસન ત્યાસી હજાર સાડી સાત વર્ષ પર્યત ચાલ્યું. તે પછી ત્રેવીસમાં. તીર્થકર શ્રી પાર્શ્વનાથ કે જેમની પ્રતિમા ખરદુષણ રાજાએ પૂજી હતી તે વાત ઉપર આવી ગઈ છે. તે ભગવાન સે વરસને આયુષ્ય ઉત્પન્ન થયા, તેમનું શાસન અઢોસો વરસ પર્યત ચાલ્યું. તે પછી મહાવીર સ્વામી ચોવીસમા તીર્થંકર થયા, હાલમાં શ્રી વીર ભગવાનનું શાસન ચાલે છે. તેમના શાસનમાં વિક્રમના બારમા સૈકામાં તેની શરૂઆત પછીના મધ્યકાળમાં હિંગળી દેશમાં (વાડ) એલેચપુર નગરમાં ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005189
Book TitlePurisadani Parshwanathji
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy