SearchBrowseAboutContactDonate
Page Preview
Page 271
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ શ્રી શ્રીપાલ કથા અને રોમાંચિત શરીરવાલા થઈને તે માણસને વધામણીનું ઈનામ આપે છે. એટલામાં ત્રણે જગતના સૂર્યસમાન શ્રીવર્ધમાન સ્વામી અતિશયેની લક્ષ્મી સહિત તે ઉદ્યાનમાં પધાર્યા. દેવાએ ત્યાં અત્યંત સુંદર અને મને ડર સમવસરણની રચના કરી. ત્યાં ત્રણે જગતના સ્વામી એવા શ્રીવર્ધમાન સ્વામી બિરાજમાન થયા. શ્રીગૌતમસ્વામી વગેરે મુનિશ્વર શકેંદ્ર વગેરે દે, અને શ્રેણિક વગેરે રાજાએ ત્યાં બેઠા એટલે, શ્રેણિક રાજાને ઉદ્દેશીને પ્રભુએ કહ્યું કેઃ “હે રાજન ! તમારા મનમાં આ નવપદજીનું મહાત્મ્ય મેટું આશ્ચર્ય કરે છે. એ પદનું જે મહાતમ્ય તમે એ જાણ્યું છે, તે તે કાંઈ હિસાબમાં નથી, કારણ કે તેનું આરાધન સર્વ સુખોના મૂલરૂપ છે. નવપદજીના આરાધનનું મૂળ કેવળ પ્રાણીઓને શુભ ભાવ છે, અને તે શુભભાવ નિર્મલ આત્માવાળા કેઈ વિરલાઓને જ હોય છે, બીજાઓને હેતે નથી. સંકલ્પ વિકલ્પ વગરના જે કોઈ નિર્મલ આત્માવાળાઓ છે, તેઓ જ નવપદ રૂપ છે અને નવે પદોમાં પણ તેઓ જ છે. અરિહંત પ્રભુનું રૂપ, પદસ્થ, તથા પિંડસ્થ રૂપે દયાન ધરનાર પુરુષ, પિતાના આત્માને પ્રત્યક્ષ રીતે અરિહંતપદ રૂપે જુએ છે. “રૂપાતીત સ્વભાવવાળે, કેવલજ્ઞાન અને કેવલદર્શનવાળે; આનંદરૂપ જે આત્મા છે, તે જ પરમાત્મા છે, તે જ સિદ્ધાત્મા છે, તે બાબતમાં શંકાને સ્થાન જ નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy