SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ શ્રી શ્રીપાલ કથા પછી તે વહાણ ત્યાં પહોંચ્યા. તે વખતે આનંદ પામેલા લોકે જમીન ઉપર ઊતર્યા, ધવલશેઠે પણ દશહજાર સુભટ સહિત ત્યાં કિનારાની ભૂમિ ઊપર પડાવ નાખે. તેઓને કેલાહલ સાંભળીને ત્યાં બમ્બરરાજાના દાણ લેનારા માણસો બંદરનું દાણ લેવા માટે આવ્યા (જૂઓ ચિત્ર ૮૭). શેઠે દાણ આપવાનો ઈન્કાર કરતાં, બબરરાજાના દાણું લેનારા માણસે પિતાના મહાકાલ નામના રાજાને તેડી લાવ્યા. તે વખતે ઘણા લકર સહિત ત્યાં આવીને મહાકાલ રાજાએ બંદરનું દાણ માગ્યું, પરંતુ શેઠે તે આપવાને ઈન્કાર કરીને, ઉલટા પોતાના સુભટને લડવા માટે તૈયાર કર્યા. પછી ધવલના એક હજાર સુભટો પિતાનાં શસ્ત્રો ઉગામીને એકદમ મહાકાલરાજાના સુભટે સાથે લડવા લાગ્યા; અને લેકેની ઉશ્કેરણીથી તેઓ મરવા લાગ્યા. પહેલાં તો ધવલના સુભટોએ મહાકાલરાજાના સઘળા સૈન્યને હરાવ્યું. તે દેખીને મહાકાલરાજા પતે મજબૂત ઘેડા ઊપર સવાર થઈને લડવા આવ્યા. તે વખતે મહાકાલરાજાનું તેજ સહન નહિ થવાથી ધવલના સુભટ નાશી ગયા. તે વખતે પગપાળા લડતા એવા ધવલને, મહાકાલરાજાએ નીચે પાડી નાંખીને બાંધી લીધો (જૂઓ ચિત્ર ૮૮). ધવલને એક ઝાડ સાથે બાંધીને, તેની અને તેના સઘળા સાથેની ચકી માટે પિતાના સુભટને ત્યાં રાખીને રાજા પોતે નગર તરફ ચાલ્યો. એવામાં શ્રીપાલકુમાર ધવલશેઠને બેલાવીને કહેવા લાગ્યા કેઃ “હે શેઠ! કહો તો ખરા કે તમારા તે સુભટે આ વખતે ક્યાં ગયા, કે જેને તમે એક કોડ સોનામહોર આપે છે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005179
Book TitleKatha Manjari Part 03
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherSarabhai Manilal Nawab
Publication Year
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy